AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કરોડોના ખર્ચે તૈયાર થયેલા સનાથલ બ્રિજમાં ત્રણ મહિનામાં જ ખરવા લાગ્યા કાંકરા, વધુ એક બ્રિજના કામમાં ગોબાચારીની ખૂલી પોલ

Ahmedabad: શહેરમાં એક બાદ એક બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી રહી છે. પહેલા હાટકેશ્વર બ્રિજ, બાદમાં ખોખરા બ્રિજ, ત્યારબાદ હાઈકોર્ટ બ્રિજ અને હવે સનાથલ બ્રિજ તૈયાર થયાના ત્રણ જ મહિનામાં બ્રિજની નબળી કામગીરી સામે આવી છે અને બ્રિજમાં ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો છે.

Ahmedabad : કરોડોના ખર્ચે તૈયાર થયેલા સનાથલ બ્રિજમાં ત્રણ મહિનામાં જ ખરવા લાગ્યા કાંકરા, વધુ એક બ્રિજના કામમાં ગોબાચારીની ખૂલી પોલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 11:34 PM
Share

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બાદ હવે સનાથલ બ્રિજમાંથી પણ કાંકરા ખરવા માંડ્યા છે. કોઈ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય તો લોકો માની પણ લે સિલસિલો તો બંધ જ નથી થઈ રહ્યો. પહેલા હાટકેશ્વર બ્રિજ, ત્યારબાદ ખોખરા બ્રિજ, શાસ્ત્રી બ્રિજ અને હવે સનાથલ બ્રિજમાં પણ ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. શહેરના મોટાભાગના બ્રિજના કામમાં ગોબાચારીની પોલ ખૂલી રહી છે. આ એટલા માટે કહેવુ પડે છે કેમ કે 3 મહિના પહેલા તૈયાર થયેલ સનાથલ બ્રિજમાંથી કાંકરા ખરવા માંડ્યા છે. 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના માત્ર 3 મહિનામાં જ કાંકરા ખરવાની શરૂઆત થઈ ગઈ છે. નવા નક્કોર બ્રિજ પર ભ્રષ્ટાચારનુ પાપ છુપાવવા ઠેર ઠેર થીગડારૂપી પેચવર્ક કરવામાં આવ્યુ છે.

બ્રિજની વિશેષતા શું છે ?

  • સનાથલ બ્રિજ કુલ 1.38 કિમી લાંબો અને 33 મીટર પહોંળો
  • 50.48 મીટરનો રેલવેનો પણ ભાગ
  • બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ અને રિટેનિંગ વોલ
  • આ વોલમાં તિરાડો પડી ચૂકી છે
  • બ્રિજ પર ફોર લેન સોલિડ એપ્રોચ રોડની સુવિધા
  • તેમાંય ગાબડા પડતા તંત્રએ થીંગડા મારવાનો વારો આવ્યો

ચાંગોદરમાં 10 માર્ચે બ્રિજનું ઉદ્દઘાટન કરાયુ હતુ અને જૂન મહિનામાં તો બ્રિજમાં ગાબડા પડી ગયા છે. બ્રિજ પાછળ 97 કરોડનો ખર્ચ કરાયો છતા તંત્રના દાવાની પોલ ખૂલી ગઈ છે. શહેરમાં વધુ એક બ્રિજને લઈને અનેક સવાલો સર્જાયા છે. આવા બ્રિજની તપાસ થવી પણ જરૂરી છે. હાલ તો તંત્ર આ મુદ્દે ભેદી મૌન સેવી રહ્યુ છે. જેમા તેરી બી ચૂપ મેરી બી ચૂપ રાખી છટકબારી શોધાઈ રહી છે. વારંવાર આ પ્રકારે બ્રિજમાં નબળી કામગીરી તંત્ર સામે અનેક સવાલ ઉભા કરે છે.

  • માત્ર 3 જ માસમાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં કેમ ગાબડા પડ્યા ?
  • શું બ્રિજના કામમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું ?
  • શું બ્રિજમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ?
  • રિપોર્ટ સાચા હતા તો એટલા જલ્દી કેમ ખાડા પડયા ?
  • શું ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે બની છે આ ઘટના ?
  • બ્રિજની નબળી કામગીરી અંગે શું તંત્રને અગાઉ જાણ ન હતી?
  • બ્રિજની નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે ?

આ પણ વાંચો: Ahmedabad: હાટકેશ્વર બ્રિજના કૌભાંડીઓએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ, ધરપકડથી બચવા સેશન્સથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી મારી ચુક્યા છે હવાતિયા

ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">