AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કરોડોના ખર્ચે તૈયાર થયેલા સનાથલ બ્રિજમાં ત્રણ મહિનામાં જ ખરવા લાગ્યા કાંકરા, વધુ એક બ્રિજના કામમાં ગોબાચારીની ખૂલી પોલ

Ahmedabad: શહેરમાં એક બાદ એક બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી રહી છે. પહેલા હાટકેશ્વર બ્રિજ, બાદમાં ખોખરા બ્રિજ, ત્યારબાદ હાઈકોર્ટ બ્રિજ અને હવે સનાથલ બ્રિજ તૈયાર થયાના ત્રણ જ મહિનામાં બ્રિજની નબળી કામગીરી સામે આવી છે અને બ્રિજમાં ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો છે.

Ahmedabad : કરોડોના ખર્ચે તૈયાર થયેલા સનાથલ બ્રિજમાં ત્રણ મહિનામાં જ ખરવા લાગ્યા કાંકરા, વધુ એક બ્રિજના કામમાં ગોબાચારીની ખૂલી પોલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 11:34 PM
Share

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બાદ હવે સનાથલ બ્રિજમાંથી પણ કાંકરા ખરવા માંડ્યા છે. કોઈ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય તો લોકો માની પણ લે સિલસિલો તો બંધ જ નથી થઈ રહ્યો. પહેલા હાટકેશ્વર બ્રિજ, ત્યારબાદ ખોખરા બ્રિજ, શાસ્ત્રી બ્રિજ અને હવે સનાથલ બ્રિજમાં પણ ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. શહેરના મોટાભાગના બ્રિજના કામમાં ગોબાચારીની પોલ ખૂલી રહી છે. આ એટલા માટે કહેવુ પડે છે કેમ કે 3 મહિના પહેલા તૈયાર થયેલ સનાથલ બ્રિજમાંથી કાંકરા ખરવા માંડ્યા છે. 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના માત્ર 3 મહિનામાં જ કાંકરા ખરવાની શરૂઆત થઈ ગઈ છે. નવા નક્કોર બ્રિજ પર ભ્રષ્ટાચારનુ પાપ છુપાવવા ઠેર ઠેર થીગડારૂપી પેચવર્ક કરવામાં આવ્યુ છે.

બ્રિજની વિશેષતા શું છે ?

  • સનાથલ બ્રિજ કુલ 1.38 કિમી લાંબો અને 33 મીટર પહોંળો
  • 50.48 મીટરનો રેલવેનો પણ ભાગ
  • બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ અને રિટેનિંગ વોલ
  • આ વોલમાં તિરાડો પડી ચૂકી છે
  • બ્રિજ પર ફોર લેન સોલિડ એપ્રોચ રોડની સુવિધા
  • તેમાંય ગાબડા પડતા તંત્રએ થીંગડા મારવાનો વારો આવ્યો

ચાંગોદરમાં 10 માર્ચે બ્રિજનું ઉદ્દઘાટન કરાયુ હતુ અને જૂન મહિનામાં તો બ્રિજમાં ગાબડા પડી ગયા છે. બ્રિજ પાછળ 97 કરોડનો ખર્ચ કરાયો છતા તંત્રના દાવાની પોલ ખૂલી ગઈ છે. શહેરમાં વધુ એક બ્રિજને લઈને અનેક સવાલો સર્જાયા છે. આવા બ્રિજની તપાસ થવી પણ જરૂરી છે. હાલ તો તંત્ર આ મુદ્દે ભેદી મૌન સેવી રહ્યુ છે. જેમા તેરી બી ચૂપ મેરી બી ચૂપ રાખી છટકબારી શોધાઈ રહી છે. વારંવાર આ પ્રકારે બ્રિજમાં નબળી કામગીરી તંત્ર સામે અનેક સવાલ ઉભા કરે છે.

  • માત્ર 3 જ માસમાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં કેમ ગાબડા પડ્યા ?
  • શું બ્રિજના કામમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું ?
  • શું બ્રિજમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ?
  • રિપોર્ટ સાચા હતા તો એટલા જલ્દી કેમ ખાડા પડયા ?
  • શું ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે બની છે આ ઘટના ?
  • બ્રિજની નબળી કામગીરી અંગે શું તંત્રને અગાઉ જાણ ન હતી?
  • બ્રિજની નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે ?

આ પણ વાંચો: Ahmedabad: હાટકેશ્વર બ્રિજના કૌભાંડીઓએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ, ધરપકડથી બચવા સેશન્સથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી મારી ચુક્યા છે હવાતિયા

ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">