Ahmedabad : ગુરુપૂર્ણિમાના અવસરે માઈગ્રન્ટ પાક. તબીબોએ PM મોદીનો માન્યો આભાર, દેશમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા આપવા પાક. ડૉક્ટર્સ તૈયાર

Ahmedabad: ટાગોર હોલ ખાતે માઈગ્રન્ટ પાક હિંદુ ડૉક્ટર્સ રજિસ્ટ્રેશન આભાર સમારોહ યોજાયો જેમા. તમામ માઈગ્રન્ટ પાકિસ્તાનના તબીબોએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને ભારતમાં સ્થાયી થવા અને આરોગ્ય સેવા કરવા સહિતની સુવિધા આપવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Ahmedabad : ગુરુપૂર્ણિમાના અવસરે માઈગ્રન્ટ પાક. તબીબોએ PM મોદીનો માન્યો આભાર, દેશમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા આપવા પાક. ડૉક્ટર્સ તૈયાર
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 04, 2023 | 12:31 AM

Ahmedabad:  ટાગોર હોલ ખાતે ‘માઇગ્રન્ટ પાક હિંદુ ડોક્ટર્સ રજિસ્ટ્રેશન આભાર સમારોહ’ યોજાયો હતો. જેમા પાકિસ્તાનથી ભારતમાં માઈગ્રન્ટ થયેલા તબીબોને આવકારવામાં આવ્યા હતા. આ તબીબોને દેશમાં સ્થાયી વસવાટ સહિત કોઈપણ સ્થળે આરોગ્ય સેવા આપવાની પણ છૂટ આપવામાં આવી છે.  જેના માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુરુપૂર્ણિમાં નિમીત્તે આયોજિત આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આજનો દિવસ ગુરૂજનોને સમર્પિત હોય છે. ગુરુ એટલે એવી વ્યક્તિ જેમણે અંધકારમાંથી ઉજાસ તરફની યાત્રા કરાવી હોય છે.

માઈગ્રન્ટ પાકિસ્તાનથી આવેલા તબીબો ભારતમાં કાયમી વસવાટ અને તબીબી સેવા કરવા માટે તૈયાર

આજનો આ અવસર આપણા માટે એટલો જ મહત્વનો છે કેમ કે મેડિકલ -આરોગ્ય ક્ષેત્ર પણ એવું સેવાક્ષેત્ર છે. જ્યાં દર્દીને દુઃખ-રોગના અંધકારમાંથી બહાર લાવીને ડોક્ટર સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના ઉજાસભર્યા જીવન તરફ લઈ જાય છે. આજે અહીં ઉપસ્થિત ડૉક્ટર્સ તો એવા તબીબો છે જેમણે ખુદ પણ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા કરવા માટે તૈયાર થયા છે.

મુખ્યમંત્રીએ તબીબો અને ડૉક્ટર્સને આપ્યા અભિનંદન

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ ભાઈઓ- બહેનો ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતની જનતાની આરોગ્ય સેવા માટે સક્ષમ બની અહીં આવ્યા છે. આમ સૌ નોબલ પ્રોફેશન સાથે નોબલ કોઝથી ભારતમાં આવ્યા છે. એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે તબીબો-ડૉક્ટર્સને અભિનંદન આપતા કહ્યું કે, આ અવસર અંતર્ગત જેમના રજીસ્ટ્રેશન થયા છે એવા સૌ તબીબો-ડોક્ટર્સ તો ગુજરાતની આરોગ્ય સેવામાં યોગદાન આપવાના છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં 8 એઈમ્સમાંથી 2023 સુધીમાં 23 એઈમ્સ થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલા આરોગ્ય ક્ષેત્રના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના લોકોની આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાને નવ વર્ષના સુશાસન દરમ્યાન સફળ પ્રયાસો કર્યા છે. દેશમાં 2014માં કુલ 8 એઇમ્સ હતી. જે વર્ષ 2023માં 23 થઇ છે. મેડીકલ કોલેજો 641 હતી. જે વધીને વર્ષ 2023માં 1,341 થઇ છે. દેશમાં 2014માં મેડીકલ સીટ 82 હજાર જેટલી હતી. તે વધીને 1 લાખ 52 હજાર થઇ છે. કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચાલ્યું હતું. જેમાં 220 કરોડથી વધુ ડોઝ દેશના નાગરિકોને આપવામાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Gandhinagar : રાજ્યના 208 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો થયો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો

મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે ભારતમાં વડાપ્રધાનએ ભારતીય ગૌરવ, સંસ્કૃતિના પુન:સ્થાપન અને સનાતન ધર્મની સેવાનું કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ સૌ ભારતીયોના હૃદયસ્થ પ્રભુ રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદીરના નિર્માણનો પ્રારંભ કરાવ્યો છે. એટલું જ નહીં અયોધ્યાના રામ મંદીરના દ્વાર આવતા વર્ષે ભાવિક ભક્તો માટે વિધિવત ખુલ્લા મુકવામાં આવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, માઈગ્રેટ પાર્ક- હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહ અંતર્ગત કુલ 132 ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં કુલ 32 ડોક્ટર આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે.

આ અવસરે સાંસદ કિરીટ સોલંકી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે, ગુજરાત મેડીકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ , માઈગ્રેટ પાક-હિન્દુના સંયોજક રાજેશ મહેશ્વરી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">