Ahmedabad: ન્યુ મણિનગર વિસ્તારને મળ્યું પ્રથમ ગાર્ડન, નાગરિકોને મળી આ સુવિધા

ન્યુ મણિનગર વિસ્તારમાં આગામી દિવસમાં બગીચા સાથે મીની વન પણ સ્થાનિકોને મળી રહેશે જે વિસ્તારની શોભા વધારશે.

Ahmedabad: ન્યુ મણિનગર વિસ્તારને મળ્યું પ્રથમ ગાર્ડન, નાગરિકોને મળી આ સુવિધા
Ahmedabad New Maninagar area got first garden citizens got this facility
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 09, 2021 | 7:52 PM

અમદાવાદ(Ahmedabad)શહેરના પૂર્વ વિસ્તારમાંથી ફરિયાદો ઉઠતી હતી કે તેમના વિસ્તાર પ્રત્યે ઓરમાયું ભર્યું વર્તન રખાઈ રહ્યું છે. તેમજ વિકાસના(Development)કામો કરવામાં આવતા નથી. ત્યારે ગુરુવારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના(Pradipsinh Jadeja) વિસ્તાર એવા વટવા વિધાનસભા વિસ્તારમાં આવેલ ન્યુ મણિનગર માં એક બગીચો(Garden)ને લોકાર્પિત કરવામાં આવ્યો છે.

ન્યુ મણિનગર પોલીસ ચોકી સામેની જગ્યા પર 11 હજાર વાર માં 1.12 કરોડના ખર્ચે બગીચો તૈયાર કરાયો. જેનું ગુરુવારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કરી બગીચો પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે તેમના વિસ્તારમાંથી મળેલી રજુઆત અને પૂર્વ વિસ્તારમાં વિકાસ થતો નથી તેવી વાતોને ખાળવા માટે આવા પ્રયાસો થઈ રહ્યા છે. જેનું આ એક જીવંત ઉદાહરણ છે.

શહેરમાં પૂર્વઝોનના રામોલ હાથીજણ વોર્ડમાં ન્યુ મણિનગર વિસ્તારનું આ પ્રથમ ગાર્ડન છે. જેનું ગુરુવારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ ગાર્ડનમાં વોક વે , ચિલ્ડ્રન એરિયા, જિમ એરિયા સહિતની સુવિધા રખાઈ જેથી સ્થાનિકોને વધુમાં વધુ સુવિધા મળી રહે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બગીચા પાછળના વિસ્તારમાં  મીની વન બનાવવામાં આવશે 

જ્યારે ગૃહમંત્રીનું એ પણ માનવું છે કે આ વિકાસ કાર્યનો લાભ તમામ લોકોને થશે. જ્યારે બગીચા પાછળના વિસ્તારને amc દ્વારા લઈને ત્યાં મીની વન બનાવવામાં આવે જેથી એક ઓક્સિજન પાર્ક સ્થાનિકોને મળી રહે તેવી પણ ગૃહમંત્રીએ મેયરને જાણ કરી હતી. એટલે કે આગામી દિવસમાં બગીચા સાથે મીની વન પણ સ્થાનિકોને મળી રહેશે જે વિસ્તારની શોભા વધારશે.

તુલસી રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે સંસદ સભ્ય હસમુખ પટેલ. મેયર કિરીટ પરમાર. સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, સતાપક્ષ નેતા સહિત કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ બગીચામાં જ્યાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તુલસી રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વસ્ત્રાલ ખાતે 4.46 કરોડના ખર્ચે સબ ઝોનલ ઓફિસ પણ તૈયાર કરાઈ છે. જેનું પણ ગૃહમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. જોકે તેમના જ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓ સ્વચ્છતા અને સારા રસ્તાથી વંચિત છે. જેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે જેથી ખરેખર લોકો સુધી યોગ્ય સુવિધા પહોંચે અને લોકોની અગવડતા દૂર થાય.

આ પણ વાંચો : Ahmedabad: બાળકના આંતરડા બહાર કાઢી સર્જરી કરી કાઢવામાં આવ્યા સ્ક્રુ, સિવિલ હોસ્પિટલના તબીબોએ કર્યુ જટીલ ઓપરેશન

આ પણ વાંચો : Indian Railways : હવે દરેક યાત્રા પહેલા તમારી ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ, જુઓ VIDEO

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">