AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર

દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા છે અને મકાનનો પાવર ઓફ એટર્ની પોતાના માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગલો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.

Ahmedabad: બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર
બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:04 PM
Share

અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યનાં બોપલ  (Bopal) પોલીસ (Police) સ્ટેશનમાં ઠગ દંપતિ સામે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભેગા મળી પોતાનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો (bungalow) અને ફ્લેટ (flat) વેચવાના નામે બે અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને છૂમંતર થઈ ગયા છે. અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે. મહત્વનું છે કે એક જ દિવસમાં આ મામલે બે ફરિયાદ નોંધાતા પોલીસે દંપતિને શોધવાની તજવીજ તેજ કરી છે.

ઠગ દંપતિ ચિંતન શાહ અને હિરવા શાહએ પોતાનાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ધટના બની છે..પાટણમાં રહેતા દેવચંદ પટેલને પોતાનાં કેનેડા ખાતે રહેતા ભાઈ માટે અમદાવાદમાં બંગલો લેવાનો હતો જેથી બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો બંગલો પસંદ પડતા સાડા નવ કરોડમા ખરીદવાનું નક્કી કર્યું, ચિંતન શાહે દેવચંદ પટેલ પાસે નોટરાઈઝ બાનાખત કરાવી 2.23 કરોડ રૂપિયા લઈ લીધા હતા. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો ત્યારે તેઓને જાણ થઈ કે બન્ને દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા છે અને મકાનનો પાવર ઓફ એટર્ની પોતાના માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગલો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.

આ ઠગ દંપત્તિએ આટલે ન અટકતા પોતાના જ પાડોથીને ફ્લેટ વેચવાના નામે ચૂનો લગાડ્યો છે. વેજલપુરમાં આવેલા આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ જેઓ ચિંતન શાહની પાડોશમાં રહેતા હતા જેઓને ચિંતન શાહે બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમા આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા. ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ પત્નિ ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરીયાદીને જાણ થઈ હતી કે આ દંપતિએ તેમને વેચેલા ફ્લેટનો દસ્તાવેજ યતેન્દ્ર શાહ નામનાં વ્યક્તિને કરી આપ્યો છે. જેથી આ મામલે બોપલમાં ફરીયાદ નોંધાઈ હતી.

મહત્વનું છે આ બંટી બબલીએ આ જ પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે તેવામાં આરોપી ચિંતન શાહની અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે. જેમાં ચિંતન શાહ ઓફિસનો સામાન મુકીને ફરાર થઈ ગયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેવામાં અનેક લોકોને ઠગનાર અને નવેમ્બર મહિનાથી ફરાર આ દંપતિ પકડાય છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોઃ Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી

આ પણ વાંચોઃ   Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">