AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ધોળકાના ચંડીસર ગામમાં નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન

પોતાના ઉભા પાકમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી ફરી વળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ધરતીપૂત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી રહી.

Ahmedabad: ધોળકાના ચંડીસર ગામમાં નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન
Ahmedabad: In Chandisar village of Dholka, the fields were flooded due to Canal Leakage
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 10:39 AM
Share

અમદાવાદ (Ahmedabad)ના ધોળકાના ચંડીસર ગામ (Chandisar village)ના ખેડૂતો સાથે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. સરકારી તંત્ર એવું તો ઉંઘમાં છે કે કેનાલમાં ગાબડુ (Canal Leakage) થતા ખેડૂતો (Farmers)ના ખેતરમાં પાણી ફરી વળ્યા છે અને અધિકારીઓ ઠંડકથી પોતાની કેબીનમાં બેઠા છે. ખેડૂતો પોતાના પાકને નુકસાન જતા ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો ખેડૂતો સરકારી તંત્ર આ મામલે તેમની સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.

સામાન્ય રીતે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરને મળતા ખેડૂતો ખુશીનો અનુભવ કરતા હોય છે. કારણ કે પાક માટે પુરતા પાણીની જરુરિયાત હોય છે. જો કે અમદાવાદના ધોળકાના ચંડીસર ગામના ખેતરોમાં કેનાલનું આ જ પાણી મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ચંડીસર ગામેથી પસાર થતી નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ઉભા પાકમાં તેનું પાણી ફરી વળ્યું છે.

આ પાણી ખેતરોમાં જ નહીં ખેડૂતોના નસીબ ઉપર પણ ફરી વળ્યું છે એવું કહીએ તો ખોટું નથી. ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળતા હાથમાં આવેલો પાક નાશ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

ખેડૂતોનું કહેવુ છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડવાને કારણે નુકસાન તેમને ભોગવવુ પડે છે. તેમનો મહામુલો પાક બરબાદ થઈ જાય છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે કેનાલ તેમને ઉપયોગી થવાના સ્થાને નુકસાન વધુ પહોંચાડતી હોવાનું જણાવી રહ્યા છે.

પોતાના ઉભા પાકમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી ફરી વળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ધરતીપૂત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી રહી. લોહી પાણી એક કરીને જ્યારે જગતનો તાત અન્ન ઉગાડતો હોય છે અને જ્યારે પાક હાથમાં આવવાનો હોય ત્યારે જ આવું નુકસાન જાય તો ખેડૂતો કોની પાસે આશા રાખે? આ ખેડૂતોની માગ છે કે સરકાર સર્વે કરી તેમને વળતર આપે. સરકારી તંત્ર આ મામલે ખેડૂતોની સહાય માટે ઘટતું કરે તેવી આ ખેડૂતો આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો- Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન

આ પણ વાંચો- Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">