Ahmedabad: ધોળકાના ચંડીસર ગામમાં નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન

પોતાના ઉભા પાકમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી ફરી વળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ધરતીપૂત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી રહી.

Ahmedabad: ધોળકાના ચંડીસર ગામમાં નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન
Ahmedabad: In Chandisar village of Dholka, the fields were flooded due to Canal Leakage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 10:39 AM

અમદાવાદ (Ahmedabad)ના ધોળકાના ચંડીસર ગામ (Chandisar village)ના ખેડૂતો સાથે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. સરકારી તંત્ર એવું તો ઉંઘમાં છે કે કેનાલમાં ગાબડુ (Canal Leakage) થતા ખેડૂતો (Farmers)ના ખેતરમાં પાણી ફરી વળ્યા છે અને અધિકારીઓ ઠંડકથી પોતાની કેબીનમાં બેઠા છે. ખેડૂતો પોતાના પાકને નુકસાન જતા ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો ખેડૂતો સરકારી તંત્ર આ મામલે તેમની સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.

સામાન્ય રીતે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરને મળતા ખેડૂતો ખુશીનો અનુભવ કરતા હોય છે. કારણ કે પાક માટે પુરતા પાણીની જરુરિયાત હોય છે. જો કે અમદાવાદના ધોળકાના ચંડીસર ગામના ખેતરોમાં કેનાલનું આ જ પાણી મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ચંડીસર ગામેથી પસાર થતી નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ઉભા પાકમાં તેનું પાણી ફરી વળ્યું છે.

આ પાણી ખેતરોમાં જ નહીં ખેડૂતોના નસીબ ઉપર પણ ફરી વળ્યું છે એવું કહીએ તો ખોટું નથી. ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળતા હાથમાં આવેલો પાક નાશ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખેડૂતોનું કહેવુ છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડવાને કારણે નુકસાન તેમને ભોગવવુ પડે છે. તેમનો મહામુલો પાક બરબાદ થઈ જાય છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે કેનાલ તેમને ઉપયોગી થવાના સ્થાને નુકસાન વધુ પહોંચાડતી હોવાનું જણાવી રહ્યા છે.

પોતાના ઉભા પાકમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી ફરી વળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ધરતીપૂત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી રહી. લોહી પાણી એક કરીને જ્યારે જગતનો તાત અન્ન ઉગાડતો હોય છે અને જ્યારે પાક હાથમાં આવવાનો હોય ત્યારે જ આવું નુકસાન જાય તો ખેડૂતો કોની પાસે આશા રાખે? આ ખેડૂતોની માગ છે કે સરકાર સર્વે કરી તેમને વળતર આપે. સરકારી તંત્ર આ મામલે ખેડૂતોની સહાય માટે ઘટતું કરે તેવી આ ખેડૂતો આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો- Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન

આ પણ વાંચો- Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">