AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન

સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સહકારી સંમેલન યોજાશે. અગાઉ ત્રણ વાર આ સંમેલન મોકૂફ રખાયું હતું. અંતે આજે અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન
home minister Amit Shah Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 7:16 AM
Share

કેન્દ્રીય સહકારીતા મંત્રાલય (Cooperative Ministry) દ્વારા આજે દેશનો પ્રથમ “સહકારથી સમૃદ્ધિ”નો કાર્યક્રમ તાપી જિલ્લાના (Tapi) બાજીપુરા ખાતે યોજાશે. જેને કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ (Amit Shah) સહિતના આગેવાનો ઉપસ્થિત રહી લાખો પશુ પાલકોને સંબોધશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તાપીના બાજીપુરામાં આ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે અને સુમુલ ડેરીએ બનાવેલા સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત અમિત શાહ નવી પારડીમાં બટર કોલ્ડ સ્ટોરેજ અને પાવડર વેરહાઉસનો પણ શિલાન્યાસ કરશે. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવી અને કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેશે તો તાપી, સુરતના સહકારી મંડળીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહનું કરાશે સન્માન

સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 6 હજાર મંડળીઓ આવેલી છે, તેમજ તેના થકી વર્ષે 10 હજાર કરોડ ખેડૂતોને આવક મળી રહે છે. તેમાં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મંડળી થતી સમૃદ્ધ થઈ થયા છે. ત્યારે આ કાર્યક્રમમાં દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરી રહેશે. તેમના દ્વારા અમિત શાહનું સન્માન કરવામાં આવશે.

ત્રણ વખત કાર્યક્રમ મોકુફ રખાયા હતા

કેન્દ્ર સરકારમાં અલગથી સહકાર મંત્રાલયની જાહેરાત કરીને પ્રધાન પદે અમિત શાહની વરણી કરવામાં આવી હતી, જેથી સહકાર મંત્રીનું સન્માન કરવા બાજીપુરા ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અગાઉ ત્રણ વખત સહકાર પ્રધાન અમિત શાહે સમય આપ્યો હતો, પરંતુ કોરોના અને અન્ય કારણોને લીધે ત્રણ વખત કાર્યક્રમ મોકૂફ રાખવાની નોબત આવી હતી. પરંતુ હવે દેશભરમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે, ત્યારે અમિત શાહનું સન્માન કરવા માટે ફરીથી 13 માર્ચેના રોજ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો- પોલીસ સ્ટેશનોને 100 ટકા કોમ્પ્યુટરાઇઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું : અમિત શાહ

આ પણ વાંચો- Gujaratમાં વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી આ સ્પષ્ટતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">