Ahmedabad : પત્નીના માનસિક ત્રાસથી પતિએ આપઘાત કર્યો , પુરાવાના આધારે પત્ની, સાળા અને કાકા સસરા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
અમદાવાદમાં( Ahmedabad) સરખેજમાં રહેતા મુકેશ ભાઈ જાદવએ 18 મેના રોજ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ધાર્મિક વિધિ પૂર્ણ કરીને પરિવાર ઘરે આવ્યો ત્યારે ડાયરીમાં એક સુઇસાઈડ નોટ મળી આવી હતી.
અમદાવાદ (Ahmedabad) શહેરના સરખેજ વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં સરખેજમાં પત્નીના માનસિક ત્રાસથી કંટાળીને પતિએ (Husband) આપઘાત (Suiside) કર્યો છે. જેમાં સુઇસાઈડ નોટ અને આપઘાત પહેલાના વિડિઓમા પત્ની, સાળા અને કાકા સસરાનો ભાંડો ફૂટ્યો હતો. જેના આધારે પોલીસે પત્ની,સાળા અને કાકા સસરાની ધરપકડ કરી છે. જેમાં આપઘાત પૂર્વે મુકેશ ભાઈ જાદવએ પત્ની અને સાસરિયાના ત્રાસને લઈને પોતાની વેદના વિડીયોમાં રેકોર્ડ કર્યો હતો. જેમાં સાળો તુલસીભાઈ ચૌહાણ અને કાકા સસરા શંકરભાઈ ચૌહાણની ચઢમણીમાં પત્ની ઝઘડો કરીને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસે સાળા અને કાકા સસરાની ધરપકડ કરી. આ ઘટનાની વાત કરીએ તો સરખેજમાં રહેતા મુકેશ ભાઈ જાદવએ 18 મેના રોજ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ધાર્મિક વિધિ પૂર્ણ કરીને પરિવાર ઘરે આવ્યો ત્યારે ડાયરીમાં એક સુઇસાઈડ નોટ મળી આવી હતી.
ઘણા સમયથી પૈસાને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા
આ સમગ્ર ઘટનામાં મુકેશભાઈએ પોતાની મોત માટે જવાબદાર સાળા તુલસી ચૌહાણ અને કાકા સસરા શંકરભાઇ ચૌહાણને ગણાવ્યા છે. આ આરોપીઓ પત્ની કુસુમને ચઢમણી કરીને ઝઘડા કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જેને લઈને સરખેજ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. જેમાં મૃતક મુકેશભાઇ જાદવ અને કુસુમ બેનના લગ્નના 18 વર્ષ પૂર્વે થયાં હતા.તેમને 3 સંતાન છે. જેમાં મુકેશભાઇ કન્સ્ટ્રક્શન સાઈટમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે નોકરી કરતા હતા.છેલ્લા ઘણા સમયથી પૈસાને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા.
સાળો અને કાકા સસરા પત્ની કુસુમને સુરેન્દ્રનગર લઈ ગયા હતા
જેમાં સાળો અને કાકા સસરા પત્ની કુસુમને સુરેન્દ્રનગર લઈ ગયા હતા અને પત્નીને ચઢામણી કરીને બ્લેકમેઇલ કરતા હતા. સુઇસાઈડ નોટમાં પણ મુકેશભાઇ આક્ષેપ કર્યો છે કે પૈસાની મદદ નહિ કરતા પત્ની ઝઘડા કરે છે. જ્યારે મિલકત પર પણ પત્નીને હક્ક નહિ આપવાનો રોષ વ્યકત કર્યો હતો.. જેથી આપઘાત પાછળ પૈસા જવાબદાર હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ કેસમાં પકડાયેલા આરોપીમાં શકરભાઈ સુરેન્દ્રનગરમાં શિક્ષક છે..જ્યારે તુલસી ખાનગી નોકરી કરે છે. આ બંને આરોપીઓ મુકેશભાઇને શું બ્લેકમેઇલ કરતા હતા. અને આપઘાતની દુષ્પ્રેરણામાં પત્ની કુસુમની કોઈ ભૂમિકા છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.