Ahmedabad: મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કેસમાં ખુલાસો, મૂળ રાજસ્થાનના યુવકે રચ્યુ હતુ ષડયંત્ર

લૂંટારૂ લૂંટના ઇરાદે મણિનગરના વૃદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો. જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ લૂંટારું હાથમાં રિવોલ્વર લઈને દોડ્યો અને ત્યાં હાજર ટોળું તેની પાછળ પડ્યું હતુ.

Ahmedabad: મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કેસમાં ખુલાસો, મૂળ રાજસ્થાનના યુવકે રચ્યુ હતુ ષડયંત્ર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 16, 2023 | 12:49 PM

Ahmedabad : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મણિનગર વિસ્તારમાં લૂંટારૂ બિન્દાસ્ત પિસ્તલ લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે અને લૂંટનો પ્રયાસ (attempt of robbery) કરે છે. જો કે જ્વેલર્સે પ્રતિકાર કરતા લૂંટારૂ ફરાર થવાનો પ્રયાસ કરે છે. જો કે હાથમાં પિસ્તલ (pistol) લઈને રોડ પર દોડે છે અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગ થતા મણિનગર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોએ તેને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. કોણ છે લૂંટારું જેણે રાત્રે શહેરભરની પોલીસને દોડતી કરી દીધી હતી.

આ પણ વાંચો-Accident Breaking : સુરતના મહુવા નજીક લકઝરી બસને નડ્યો અકસ્માત, ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત, જૂઓ Video

મણિનગરના વૃંદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો

લૂંટના ઇરાદે આવેલો વ્યક્તિ રોડ પર દોડતા દોડતા રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરે છે. જે જોતા પહેલી નજરે તો UP કે બિહારના દ્રશ્યો હોય તેવું લાગે છે, જો કે આ ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારની છે. સદનસીબે અહીં મોટો બનાવ બનતા અટકી ગયો છે. લૂંટારૂ લૂંટના ઇરાદે મણિનગરના વૃદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો. જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ લૂંટારું હાથમાં રિવોલ્વર લઈને દોડ્યો અને ત્યાં હાજર ટોળું તેની પાછળ પડ્યું હતુ. લોકોની નાસ ભાગ જોઈને ગભરાઈને લૂંટારૂએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ, પરંતુ લોકોએ તેનો પીછો કરીને તેને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસો

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તે મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે. હાલ તેનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર હોવાનું જણાવી રહ્યો છે. જેનું નામ લોકેન્દ્ર શેખાવત છે. આરોપીને દેવું થઈ જતાં તે લૂંટનાં ઇરાદે અમદાવાદ આવ્યો હતો. ગઈકાલે સાંજે તે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે પિસ્ટલ તેને કોઈનાં ઝઘડામાં નીચે પડી જવાથી મળી હોવાનુ કહી રહ્યો છે, આ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી પિસ્ટલ, ત્રણ કારતૂસ પણ જપ્ત કર્યા છે. આરોપી હકીકતમાં આર્મીમાં ફરજ બજાવે છે કે કેમ તે અંગે પણ પોલીસે ખરાઈ કરવાની કામગીરી શરૂ કરી છે. જ્યારે આરોપી વિરૂદ્ધમાં લૂંટની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">