AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે, નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી

કેન્દ્રીય માર્ગ પરિવહનના મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટ કરી અમદાવાદના ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર માટે 530 કરોડ રુપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

Ahmedabad : ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે, નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 2:30 PM
Share

અમદાવાદના વાહન ચાલકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહનના મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરી અમદાવાદના ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર માટે 530 કરોડ રુપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદના સરખેજમાં પતિના વ્યસનથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત, દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી

નીતિન ગડકરીએ ટ્વિટ કરી આપી માહિતી

અમદાવાદના ઈસ્કોન બ્રિજથી સાણંદ ચોકડી સુધીના 4 કિલોમીટરમાં કર્ણાવતી ક્લબ તેમજ પ્રહલાદનગર ચાર રસ્તા અને વાયએમસીએ નજીકના ચાર રસ્તા પાસે 3 ફ્લાયઓવર બનાવવામાં આવશે. જે રીતે ગોતાથી થલતેજ એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે તે જ રીતે ઈસ્કોનથી સાણંદ સુધી કોરિડોર બનાવામાં આવશે. અમદાવાદના કર્ણાવતી જંકશન પર 800 મીટર, પ્રહલાદનગરથી વાયએમસીએ ચાર રસ્તા સુધી 1200 મીટરનો ફ્લાયઓવર બનાવવામાં આવશે. જેથી એકપણ ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ નડશે નહીં અને વાહનચાલકોના સમયનો બચાવ થશે.

ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મળી મંજૂરી

અમદાવાદના સરખેજથી ચિલોડા સુધી અગાઉ 800 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કર્ણાવતી, પ્રહલાદનગર અને વાયએમસીએ જંકશનને બાકાત રાખવામાં આવ્યો હતો. આ સ્થળોએ અગાઉ કોર્પોરેશન બ્રિજ બનાવશે તેવું નક્કી કરાવામાં આવ્યુ હતુ માટે આ બ્રિજનું કામ બાકાત રાખવામાં આવ્યું હતુ.

મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે કાલુપુર રેલવે સ્ટેશન

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની બિલ્ડીંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે. કાલુપુર તરફ એમએમટીએચ બિલ્ડિંગના પ્રતિષ્ઠિત ટાવર અમદાવાદ શહેર માટે એક નવું લેન્ડમાર્ક બનશે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ઈંટ મિનારા અને ઝુલતા મિનારાના સંરક્ષિત સ્મારકોને સ્ટેશન પરિસરમાં સૌંદર્યલક્ષી રીતે સંકલિત કરવામાં આવશે, જેથી જેથી આ વારસાની મહત્વતા વધશે.

આ સ્ટેશનની ડિઝાઇનમાં આયોજિત એક નવો ખ્યાલ અડાલજ સ્ટેપવેલ દ્વારા પ્રેરિત એક ઓપન સ્પેસ એમ્ફીથિયેટર છે. આનાથી સ્ટેશનના સ્થાપત્ય મૂલ્યમાં વધારો તો થશે જ પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મનોરંજન સ્થળ પણ પણ પ્રદાન કરશે.વધુમાં માહિતી આપી હતી કે આ પુનઃવિકાસ શહેરની બંને બાજુઓને એકીકૃત કરશે.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">