AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 વર્ષ જૂનો અપરાધ…જાણો એ કેસ, જેના માટે Atique Ahmedને અમદાવાદથી પ્રયાગરાજ લવાયો, કોર્ટ આજે આપશે ચુકાદો

ઉમેશ પાલ હત્યા કેસનો આરોપી માફિયા અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ પહોંચ્યો છે. આજે અતીક અહેમદને એમપી એમએલએ કોર્ટમાં હાજર થવાનું છે.

17 વર્ષ જૂનો અપરાધ...જાણો એ કેસ, જેના માટે Atique Ahmedને અમદાવાદથી પ્રયાગરાજ લવાયો, કોર્ટ આજે આપશે ચુકાદો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:32 AM
Share

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી, માફિયા અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ પહોંચ્યો છે. આજે તેને એમપી એમએલએ કોર્ટમાં હાજર થવાનું છે. ઉમેશ પાલ હવે આ દુનિયામાં નથી, પરંતુ અતીક અહેમદ તેના જ અપહરણના 17 વર્ષ જૂના કેસનો મુખ્ય આરોપી છે. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. જજ ડૉ. દિનેશ ચંદ્ર શુક્લા આજે એટલે કે ગુરુવારે પોતાનો ચુકાદો આપશે.

સુનાવણી પૂર્ણ કર્યા બાદ, એમપી એમએલએ કોર્ટે 17 માર્ચે ચુકાદો અનામત રાખ્યો હતો અને નિર્ણય લીધો હતો કે 28 માર્ચે ચૂકાદો આપવામાં આવશે. બસપાના દિગ્ગજ નેતા રાજુ પાલનાની 25 જાન્યુઆરી 2005ના રોજ હત્યા કરવામાં આવી હતી. રાજુ પાલની સાથે અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમના નામ દેવીલાલ પાલ અને સંદીપ યાદવ હતા. રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. પરંતુ, 28 ફેબ્રુઆરી, 2006 ના રોજ, બદમાશો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ આરોપ અતીક અહેમદ અને તેના સાગરિતો પર લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Atiq Ahmad : વાંચો કયા કેસમાં અતિક અહેમદને ઈલાહાબાદ કોર્ટમાં કરાશે હાજર

એવા આક્ષેપો પણ થયા હતા કે, માફિયા અતીક અહેમદ અને તેના સાગરિતોએ ઉમેશનું અપહરણ કર્યું હતું અને તેને તેની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે તે ઘટનાસ્થળે હાજર ન હતો. જો કે, તે સમયે આ મામલે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. પરંતુ, બીજા જ વર્ષે એટલે કે 2007માં ઉતર પ્રદેશ રાજ્યમાં બસપાની સરકાર બની. ત્યાર બાદ ઉમેશ પાલે 5 જુલાઈ 2007ના રોજ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

ઉમેશ પાલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, એફઆઈઆરમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, દિનેશ પાસી અને ખાન સુલત હનીફના નામ આરોપી તરીકે છે. આ સાથે ઈસરાર, આબિદ પ્રધાન, જાવેદ, ફરહાન, મલ્લી અને એજાઝ અખ્તર ઉપર પણ અપહરણનો આરોપ છે. આનો એક આરોપી અંસાર અહેમદ હવે આ દુનિયામાં નથી. આ સમગ્ર કેસમાં વર્ષ 2009માં કોર્ટે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. આ પછી કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">