Ahmdebad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત, ખંજરના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરાઈ કરપીણ હત્યા

Ahmedabad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત થયો છે. અમદાવાદના પૂર્વમાં ગુનાહીત છાપ ધરાવતા યુવકની ખંજરના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.

Ahmdebad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત, ખંજરના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરાઈ કરપીણ હત્યા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:22 AM

Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છાશવારે હત્યાના બનાવો સામે આવતા રહે છે. અહીં ગુનેગારોમાં કાયદાનો જાણે કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ઠંડા કલેજે હત્યા કરી નાખતા પણ અચકાતા નથી. શહેરના આ જ પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા હત્યા કરનારા સરાજાહેર બોલી રહ્યો છે આજ જિંદા નહીં છોડના, માર ડાલો… આવુ કહી ગુનાહીત છાપ ધરાવતા યુવકની ખંજરના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.

ગુનાહિત છાપ ધરાવતા યુવકની ખંજરના ઘા ઝીંકી કરપીણ હત્યા

પૂર્વના મેઘાણીનગર વિસ્તારમાં સમાન્ય બોલાચાલીમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. મેઘાણીનગરમાં અમરાજીનગરમાં ગત રાતના સમયે હત્યાનો બનાવ બન્યો છે. રાતના સમયે રવિ ઉર્ફે લલ્લા ભદોરીયા નામનાં 32 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. રવિ ભદોરીયા તેના ઘરે હતો તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખીને કરણ ચૌહાણ, તેનો ભાઈ અર્જુન ઉર્ફે પાર્થ ચૌહાણ તેમજ તેના મિત્રો અંકિત ઉર્ફે કાલુ ચૌહાણ, રવિ ઉર્ફે પટેલ અને વિશાલ યાદવ અને અનુપ તોમર તમામ લોકો ભેગા મળી રવિ ભદોરીયાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રવી ઉપર હુમલો કર્યો હતો. તેમજ અનુપ તોમરે લોખંડની પાઈપથી શરીર પર ફટકા માર્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડ- જુઓ Video

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

હત્યા થઈ ગયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

બીજી તરફ રાજવીર નામનાં યુવકની પાછળ દોડીને ફરિયાદીના ઘરે આવીને પથ્થરો માર્યા હતા અને અંતે તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવની જાણ થતા મેઘાણીનગર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે મૃતકના પિતાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક રવિ ભદોરીયા પણ ગુનાહીત હિસ્ટ્રી ધરાવે છે અને અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">