AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, જાણો કઈ ટ્રેનોને થશે અસર

Ahmedabad: જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલવે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળથી ઉપડતી/ પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

Ahmedabad: નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, જાણો કઈ ટ્રેનોને થશે અસર
Ahmedabad Railway Station
Darshal Raval
| Edited By: | Updated on: Nov 11, 2022 | 6:30 PM
Share

જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલવે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળથી ઉપડતી/ પસાર થતી નીચેની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

નીચેની ટ્રેન રદ્દ કરવામાં આવી છે

  1. તારીખ 16 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.
  2.  તારીખ 19 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.

નીચેની ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે

  1. તારીખ 14 અને 18 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જબલપુર-કટની મુડવારા-બીના માલખેડી-બીના-ભોપાલની જગ્યાએ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને ચાલશે.
  2.  તારીખ 12 અને 14 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના માલખેડી -કટની મુડવારા-જબલપુરની જગ્યાએ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને ચાલશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અગાઉ પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલવે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે, અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે COVID-19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.

1. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ તારીખ 11 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.

2. ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ તારીખ 11, 13 અને 16 નવેમ્બર 2022ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે.

3. ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ તારીખ 10, 12, 14, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ મહાદેવખેડી-બીના-આગાસોદને બદલે મહાદેવખેડી-આગાસોદ થઈને દોડશે

4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14 નવેમ્બર 2022ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

5. ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 12, 14 અને 16 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડીને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

6. ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 10, 11, 13, 15 અને 17 નવેમ્બર 2022 ના રોજ આગાસોદ-બીના-મહાદેવખેડી ને બદલે આગાસોદ-મહાદેવખેડી થઈને દોડશે.

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">