Ahmedabad : વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીની ધરપકડ
ક્રાઇમ બ્રાંચે પકડેલ ઘરફોડ ગેંગની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાન શોધતા.જે બાદ આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા.
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની પાલડી મહાલક્ષ્મી પાસેથી ઝડપી પાડી સોનાના દાગીના અને રોકડ થઈને કુલ 69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ વાઘેલા , વિજય દંતાણી , જયેશ દાતણીયા નામના આરોપીઓને 27 ઓગસ્ટ નાં રોજ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીના બંગલા નંબર 40 માં કરેલી ચોરીના કેસમાં ધરપકડ કરી છે. જેમાં બંગલાના નંબર 40 માં રહેતો પરિવાર રક્ષાબંધનના તહેવાર ઉજવવા માટે દિલ્હી ગયા હતા. તે વખતે બંધ બંગલાનો લાભ ઉઠાવીને 20 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી લાખોની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.
જોકે આરોપીઓ ની ઘરફોડ ચોરી ની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસો માં ત્રણે આરોપીઓ ને ઝડપી પાડયા.
ક્રાઇમ બ્રાંચે પકડેલ ઘરફોડ ગેંગની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાન શોધતા.જે બાદ આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા. આ આરોપીઓ બંધ મકાન ટાર્ગેટ કરતા હતા જેમાં આરોપીઓ માત્ર પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતાં.
હાલ આરોપીઓ ની વધુ તપાસ કરતા આરોપી વિજય સામે અગાઉ ઘરફોડ ચોરી માં 8 થી વધુ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી જયેશ સામે 4 થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Mehsana : પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માંગ, સરકારમાં રજૂઆત કરાશે
આ પણ વાંચો: ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદી, વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલાની વરણી