AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : યુવરાજસિંહના સમર્થનમાં આવી કોંગ્રેસ, અમિત ચાવડાએ કહ્યુ- 156 બેઠક વાળી સરકારે 56ની છાતી કૌભાંડીઓ સામે દેખાડવાની હતી

Ahmedabad News : યુવરાજ જે પાર્ટી સાથે સંકળાયેલા છે તે AAPના પહેલા કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને જગદીશ ઠાકોરના સમર્થન બાદ વિદ્યાર્થી પાંખ NSUIએ અમદાવાદમાં રસ્તા પર ઉતરી દેખાવો કર્યા છે.

Ahmedabad : યુવરાજસિંહના સમર્થનમાં આવી કોંગ્રેસ, અમિત ચાવડાએ કહ્યુ- 156 બેઠક વાળી સરકારે 56ની છાતી કૌભાંડીઓ સામે દેખાડવાની હતી
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 23, 2023 | 7:33 AM
Share

ભાવનગર પોલીસે ડમી કાંડમાં ખંડણીના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરી છે. જે બાદ યુવરાજ જે પાર્ટી સાથે સંકળાયેલા છે તે AAPના પહેલા કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને જગદીશ ઠાકોરના સમર્થન બાદ વિદ્યાર્થી પાંખ NSUIએ અમદાવાદમાં રસ્તા પર ઉતરી દેખાવો કર્યા છે. કોંગ્રેસની માગ છે કે ફરિયાદીની નહીં આરોપી સામે પોલીસ કાર્યવાહી કરો.

આ પણ વાંચો- Gujarat Weather : આગ ઝરતી ગરમીથી ગુજરાતવાસીઓને મળશે રાહત, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

યુવરાજસિંહ જાડેજાને જેલ મુક્ત કરવાની માગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ખંડણી કેસમાં ધરપકડ થયા બાદ કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ NSUI સમર્થન કરી રહ્યું છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ સરકારની આ કામગીરી સામે પ્રશ્ન ઊભા કરી યુવરાજને સમર્થન આપ્યા બાદ એનએસયુઆઈ કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યા હતા.

NSUI કાર્યકરોએ દાદા સાહેબ પગલાં ચાર રસ્તા પાસે રસ્તા રોકી દેખાવો કર્યા હતા. NSUI કાર્યકરોએ યુવરાજસિંહ જાડેજાને જેલ મુક્ત કરવા અને જીતુ વાઘણી તેમજ અસિત વોરાની પૂછપરછ કરવા માગ કરી છે. રસ્તા પર દેખાવો કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચો-Gujarat Weather : આગ ઝરતી ગરમીથી ગુજરાતવાસીઓને મળશે રાહત, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ પ્રતિક્રિયા આપી

NSUI ઉપરાંત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ યુવરાજસિંહને સમર્થન આપી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે 156 બેઠકો વાળી સરકારે 56ની છાતી પેપર ફોડવા વાળા સામે કરવાની હતી. ગુનેગારોના બદલે તાનાશાહ સરકાર પ્રશ્નો ઉજાગર કરે એની સામે કાર્યવાહી કરે છે.

ગાંધી-સરદારના ગુજરાતમાં તમામ સમાજે જાગૃત થવાની જરૂર છે. ડમીકાંડ અંગે પુરાવાઓ આપનાર યુવરાજ સામે ખોટી ફરિયાદ કરાઈ છે, જો સરકાર સાચી હોય તો યુવરાજ સાથે ભાજપના નેતાઓની પણ પૂછપરછ કરવી જોઈએ. ચમરબંધીને નહીં છોડવાના દાવા કરનાર સરકાર ખોટા કેસો કરે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">