Gujarati Video: ભાવનગર ડમીકાંડના બે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કરાયા જેલહવાલે, બિપીન ત્રિવેદીએ ઘનશ્યામ લાંધવા પાસેથી લીધેલા 10 લાખ પોલીસે રિકવર કર્યા

Bhavnagar: ભાવનગર ડમીકાંડમાં પકડાયેલા આરોપીને જેલ હવાલે કરાયા છે. મિલન ઘુઘા બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ તરફ પોલીસે બિપીન ત્રિવેદી પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કર્યા છે. 1 કરોડની રકમમાંથી 10 ટકા બિપીન ત્રિવેદીએ લીધી હોવાનો ખૂલાસો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 6:45 PM

ભાવનગર ડમીકાંડના આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. મિલન ઘુઘા બારૈયાએ સૌથી વધુ 9 જેટલી પરીક્ષાઓ ડમી ઉમેદવાર તરીકે આવી છે. આ બંને આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા હાલ જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

યુવરાજ સામે આરોપ લગાવનાર બિપીન ત્રિવેદીએ ઘનશ્યામ લાંધવા પાસેથી 10 લાખ રૂપિયા લીધા

આ તરફ ડમી કૌભાંડમાં મોટો ખૂલાસો થયો છે. તોડકાંડમાં સંડોવાયેલા બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવા પાસેથી 10 લાખ રિકવર કર્યા હતા. બંને આરોપીઓ પાસેથી પોલીસે 10 લાખ રિકવર કર્યા છે. 1 કરોડની રકમમાંથી બંને આરોપીઓએ 10 ટકા રકમ લીધી હતી.

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી. જે બાદ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો : Breaking News: ભાવનગર ડમીકાંડમાં મેરેથોન પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની કરાઈ ધરપકડ

ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ ઉપરાંત તેમના સાથીદારો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.

 

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">