AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ધોળકા ચંડીસર નજીક નર્મદા કેનાલમાં ગાબડું, પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાન

ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળતા હાથમાં આવેલો પાક નાશ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.ખેડૂતોનો આરોપ છે કે આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઇ પગલા ભરવામાં આવ્યાં નથી.ધરતીપુત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી એ સૌથી મોટું દુઃખ છે

Ahmedabad : ધોળકા ચંડીસર નજીક નર્મદા કેનાલમાં ગાબડું, પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાન
Narmada Canal Break (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 8:24 PM
Share

અમદાવાદના(Ahmedabad)  ધોળકા ચંડીસરના ખેડૂતોની(Farmers)  માઠી દશા થઈ છે. જેમાં નર્મદાની મેઇન કેનાલમાં (Narmada Canal) ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. તેમજ પાણીથી ખેડૂતોનો તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. જેમાં ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળ્યાં છે. તેમજ પાણી ફરી વળતાં ખેડૂતોને લાખોનું નુકસાન થયાની ભીતિ છે. તેમજ સરકાર સર્વે કરી સહાય આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. ધોળકાના ચંડીસર ગામના ખેતરોમાં ફરી વળેલું પાણી ખેતરોમાં જ નહીં ખેડૂતોના નસીબ ઉપર પણ ફરી વળ્યું છે એવું કહીએ તો ખોટું નથી.ચંડીસર ગામેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે.

ધરતીપુત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી

ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળતા હાથમાં આવેલો પાક નાશ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.ખેડૂતોનો આરોપ છે કે આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઇ પગલા ભરવામાં આવ્યાં નથી.ધરતીપુત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી એ સૌથી મોટું દુઃખ છે..લોહી પાણી એક કરીને જ્ચારે જગતનો તાત અન્ન ઉગાડતો હોય છે. અને જ્યારે પાક હાથમાં આવવાનો હોય ત્યારે જ આવું નુકસાન જાય તો ખેડૂતો કોની પાસે આશા રાખે ? સરકારી તંત્ર આ મામલે ખેડૂતોની સહાય માટે ઘટતું કરે તેવી આ ખેડૂતો આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : ખેલ મહાકુંભ પૂર્વે સરદાર પટેલ સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી, લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુર

આ પણ વાંચો : Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">