AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન

સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન , સંવર્ધન થઇ રહ્યું છે . એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે . દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ  કરવામાં આવશે. 

Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન
Surat Dung Stick Holi (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 12, 2022 | 4:19 PM
Share

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા હોળી(Holi)પર્વની ઉજવણી સાથે જ લાખો કિલો લાકડાનું આંધણ અટકે એ માટે વૈદિક હોળી ( Vedic Holi) પ્રગટાવવાની ઝુંબેશ રંગ લાવી રહી છે . છેલ્લા ઘણા વર્ષોથી વૈદિક હોળીની ઝુંબેશ , સંકલ્પયાત્રાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે . દરમિયાન ગૌવંશના સંવર્ધન અને પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે ગૌપ્રેમીઓ , ગૌશાળાઓ , પ્રબુદ્ધ નાગરીકો પણ કટીબદ્ધ થયા છે . ગત વર્ષે સુરતની(Surat) ચાર જાણીતી , મોટી ગૌશાળાઓ દ્વારા 95 ટન ગોબરસ્ટીક બનાવાઇ હતી . તે સામે આ વર્ષે લોકજાગૃતિને જોતાં 200 ટન ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કર્યો છે. સુરત પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત સુતરિયાએ જણાવ્યુ હતુ કે , વૈદિક હોળી માટે હાલમાં રોજની 10 થી વધારે ઇન્કવાયરી આવી રહી છે . મોટી સોસાયટી અને મોટા પાયે થતા હોળીકાદહનના કાર્યક્રમોમાં 500 કિલો ગોબરસ્ટીકની માંગ રહે છે . નાના પાયે કે સામાન્ય આયોજનોમાં 300 કિલો સુધીની ગોબરસ્ટીકની માંગ રહે છે . તેને જોતાં 70 હજાર કિલો ગોબરસ્ટીક અને સરેરાશ 300 કિલોની ગણતરી કરીએ તો 250 જેટલી વૈદિક હોળી પ્રગટાવી શકાશે .

સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ

હાલમાં સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન , સંવર્ધન થઇ રહ્યું છે . એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે . દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ  કરવામાં આવશે.

ગોબરસ્ટીક બનાવવાનો સંકલ્પ કરાયો

પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે છ ગણી ગોબરસ્ટીક બનાવવાનો સંકલ્પ કરાયો છે . ગત વર્ષે 12 ટન સામે આ વર્ષે 70 ટન ગોબરસ્ટીક બનાવાઇ છે . જ્યારે પીપોદરાની એલ.બી.ગૌક્રાંતિ સંસ્થામાં આ વર્ષે 20 ટકાના વધારા સાથે 70 ટન , કોસાડ રોડની હરી ગૌશાળામાં ગત વર્ષે 10 ટન સામે આ વર્ષે 25 વૈદિક ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કરાયો છે .

૭૦ ટન ગોબરસ્ટીકથી ૨૫૦ વૈદિક હોળી પ્રગટાવાશે

જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં વૈદિક હોળી પ્રગટે એ માટે ગૌરક્ષકો , ગૌશાળા , પ્રબુદ્ધ નાગરીકો આગળ આવ્યા છે .આમ, ગણતરીના વર્ષમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં જાગૃતિની લ્હેર ફૂંકાતા ગૌશાળાઓએ બમણા જોર સાથે ઝુંબેશમાં ઝંપલાવ્યું છે .વૈદિક હોળી વૈદિક પરંપરાને આધારિત પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે વૈદિક હોળી પ્રગટાવવાનો વધેલો વ્યાપ 200 ટન ગોબર સ્ટીકથી હોળી કરવા જનજાગૃતિ અભિયાન એલ.બી.ગૌક્રાંતિ , સુરત પાંજરાપોળ , શ્રી હરિ ગૌશાળા , સોમોલાઇ હનુમાન ગૌશાળાનો સંકલ્પ રંગ લાવશે ૭૦ ટન ગોબરસ્ટીકથી ૨૫૦ વૈદિક હોળી પ્રગટાવાશે.

આ પણ વાંચો : Gujarat: અમદાવાદમાં PM મોદીના રોડ શોમાં કેસરીયા ટોપી બની ખાસ આકર્ષણનું કેન્દ્ર, સુરતમાં તૈયાર થઇ છે ડિઝાઈન

આ પણ વાંચો : અંબાજીમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે, સરકારે 5 કિલોમીટર લાંબા બાયપાસને આપી મંજૂરી

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">