Ahmedabad: વરસાદના કારણે મંગળવારે રાત્રે એક ક્રેન રેલવેની ઇલેક્ટ્રિક લાઇન પર પડતાં 12 જેટલી ટ્રેન પ્રભાવિત

રેલવે વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વીજ સપ્લાઈ બંધ કરી ટ્રેનોનું સંચાલન રાતે 8 વાગ્યાથી અટકાવી દેવાયું હતું.

Ahmedabad: વરસાદના કારણે મંગળવારે રાત્રે એક  ક્રેન રેલવેની ઇલેક્ટ્રિક લાઇન પર પડતાં 12 જેટલી ટ્રેન પ્રભાવિત
crane fell on the electric line
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 06, 2022 | 12:38 PM

મંગળવારે રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં અમદાવાદ (Ahmedabad) માં વટવા રેલવે લાઈન (railway line) ની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વરસાદ (Rain) ના કારણે જમીન પોચી પડતા એક ક્રેન એક તરફ નમી રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈન પર પડતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં વાયરને કોઈ નુકસાન થયું ન હતું. પણ રેલવે વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વીજ સપ્લાઈ બંધ કરી ટ્રેનોનું સંચાલન રાતે 8 વાગ્યાથી અટકાવી દેવાયું હતું. જેના પગલે અમદાવાદ આવતી-જતી 12થી વધુ ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દેતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. જે બાદ પરિસ્થિતિ થાળે પડતા એ જ રાત્રે 10.45 કલાકે ટ્રેનોનું પુન: સંચાલન શરૂ કરાયું હતું.

અસરગ્રસ્ત ટ્રેનો

  1. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
  2. ભગત કી કોઠી પુણે એક્સપ્રેસ
  3. સૌરાષ્ટ્ર મેલ
  4.  લોકશક્તિ એક્સપ્રેસ
  5. આ પણ વાંચો

  6. નવજીવન એક્સપ્રેસ
  7. અરવલ્લી એક્સપ્રેસ
  8. ગુજરાત મેલ
  9. ડબલ ડેકર એક્સપ્રેસ
  10. તેજસ એક્સપ્રેસ
  11. સયાજીનગરી એક્સપ્રેસ
  12. જનશતાબ્દી એક્સપ્રેસ
  13. જામનગર એક્સપ્રેસ વગેરે.

આ અગાઉ વડોદરા પાસે પણ ટ્રેનના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. રણોલી પાસે મોડી રાત્રે રેલવે ફાટકમાંથી પસાર થતી વખતે મહાકાય ક્રેન ટ્રેક પર બંધ પડી જતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ક્રેનને હટાવવાની કામગીરીમાં 2.30 કલાકનો સમય જતા આ સમયગાળા દરમિયાન 11 ટ્રેનો 10 મિનિટથી બે કલાક મોડી પડી હતી.

રણોલી ફાટક પરથી એક ક્રેન પસાર થઇ રહી હતી અને ક્રેન રેલવે ટ્રેક પર પહોંચી તે સમયે જ ક્રેનમાં ખામી સર્જાતા બંધ પડી ગઇ હતી. આ ઘટના સંબંધે રેલવે તંત્રનું કહેવુ છે કે રાત્રે રેલવે કન્ટ્રોલ રૃમને આ ઘટનાની જાણ થઇ હતી અને તુરંત અધિકારીઓ સાથે ટેકનિકલ ટીમ રવાના કરવામાં આવી હતી.

અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ જે બાદ જેસીબી મશીન અને રેલવે ટેકનિકલ સપોર્ટ ટ્રેનને ઘટના સ્થળે રવાના કરાઇ હતી અને ક્રેન હટાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી અને ક્રેનને ટ્રેક પરથી હટાવીને ફાટક બહાર સાઇડ પર મુકી દેવામાં આવી હતી. આ ઘટનાના પગલે દિલ્હી અમદાવાદથી મુંબઇ તરફ જતી 6ટ્રેન અને મુંબઇથી દિલ્હી અમદાવાદ તરફ જતી પાંચ ટ્રેન મળીને 11 ટ્રેનો મોડી પડી હતી.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">