Breaking News : વિમાન દુર્ઘટના બાદ ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યા PM મોદી, એક બાદ એક તમામ ઇજાગ્રસ્ત લોકોની લીધી મુલાકાત, જુઓ Video
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને હોસ્ટેલમાં તાલીમ લેતા ડોકટરોનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા.

ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયાના અહેવાલ છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત, આમાં એર ઇન્ડિયાનું વિમાન જે હોસ્ટેલમાં ક્રેશ થયું હતું તેના તાલીમાર્થી ડોકટરોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતના બીજા દિવસે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે છે.
અમદાવાદ પહોંચ્યા બાદ, પીએમ મોદીએ સીધી અકસ્માત સ્થળની મુલાકાત લીધી. આ પછી, તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા. પ્રધાનમંત્રી અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમારને પણ મળી શકે છે. રમેશ હાલમાં સારવાર હેઠળ છે.
#WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx
— ANI (@ANI) June 13, 2025
પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ છે. ગુજરાત પીએમ મોદીનું ગૃહ રાજ્ય છે. 2001 થી 2014 સુધી તેઓ સતત 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. ગુજરાતમાં સતત રાજકીય સફળતાને કારણે, 2014 માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. વડા પ્રધાનના ગૃહ રાજ્યમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા યુવાનની પણ પ્રધાન મંત્રી એ મુલાકાત લીધી અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. 40 વર્ષીય મુસાફરની અમદાવાદના અસારવાની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. છાતી, આંખો અને પગમાં ઈજાઓ વિશ્વાસે થઈ છે. તેણે જણાવ્યું કે ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી, એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. જોકે આ યુવાનની મુલાકાત નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવી.
#WATCH | Prime Minister Narendra Modi holds a review meeting with the officials at the airport in Ahmedabad in the wake of yesterday’s #AirIndiaPlaneCrash.#planecrash #planecrashahmedabad #AirIndiaCrash @PMOIndia @PIB_India @MIB_India pic.twitter.com/pxqxMpeCQz
— DD India (@DDIndialive) June 13, 2025
આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી એ આજે આ અકસ્માત અંગે સમીક્ષા બેઠક કરી જેમાં અનેક લોકો હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓ પાસે આ ઘટના અંગે માહિતી પણ મેળવી હતી..
