Ahmedabad: ઓર્કિડ ગ્રીનમાં લાગેલી આગમાં 1 કિશોરીનું મોત અને ઘર બળીને ખાખ, ગેસ ગીઝર ફાટવાથી આગ લાગી હોવાની શક્યતા!

ગેસ ગીઝર ફાટવાના કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે, જોકે ફાયરના જવાનોએ શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આપ્યું છે. ફાયરના જવાનો પ્રમાણે, ફ્લેટમાં ફર્નિચર વધારે હોવાના કારણે આગ જલ્દી પ્રસરી હતી.પરિવારના ચાર સભ્યો પોતાની જાતે જ બહાર આવી ગયા હતા, પરંતુ પ્રાંજલ બેડરૂમમાં ફસાઈ ગઈ હતી.

Ahmedabad: ઓર્કિડ ગ્રીનમાં લાગેલી આગમાં 1 કિશોરીનું મોત અને ઘર બળીને ખાખ, ગેસ ગીઝર ફાટવાથી આગ લાગી હોવાની શક્યતા!
Ahmedabad fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 12:35 PM

શાહીબાગ વિસ્તારના ઓર્કિડ ગ્રીન બિલ્ડિંગના  સાતમા માળે આગ  લાગી હતી.  હાલમાં  તો આ આગ  કાબૂમાં આવી  ગઈ છે.  આગમાં ફસાયેલા તમામને  બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે એક કિશોરીનું આ ઘટનામાં મોત થયું છે. આગ લાગતા કિશોરી  બેડરૂમમાં ફસાઈ  ગઈ હતી. શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી.  હાલમાં આ આગ  કાબૂમાં આવી  ગઈ છે.   આગમાં ફસાયેલા તમામને  બહાર કાઢવામાં આવ્યા હતા.  જોકે આ  ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું.આ   ઘટનામાં  શરૂઆતમાં 2 ભાઈ ફસાયા હતા , આગ ઓલવવા માટે ફાયરની  કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા  હતા.

ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું

ઓર્કિડ ગ્રીન બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લેટમાં સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.. ફાયરના જવાનો તાત્કાલિક આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાધીને બે જવાનો દોરડા વડે સાતમા માળે પહોંચ્યા હતા. જ્યાં બેડરૂમમાં ફસાયેલી પ્રાંજલ જીરાવાલા નામની કિશોરીને ફાયરના જવાનોએ જીવના જોખમે બહાર કાઢી હતી. કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલી કિશોરીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું અને બચાવકાર્યની સાથે-સાથે ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી,  પરંતુ ઘર બળીને ખાખ થઈ ગયું હતું.

ગેસ ગીઝર ફાટવાના કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે, જોકે ફાયરના જવાનોએ શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આપ્યું છે. ફાયરના જવાનો પ્રમાણે, ફ્લેટમાં ફર્નિચર વધારે હોવાના કારણે આગ જલ્દી પ્રસરી હતી.પરિવારના ચાર સભ્યો પોતાની જાતે જ બહાર આવી ગયા હતા, પરંતુ પ્રાંજલ બેડરૂમમાં ફસાઈ ગઈ હતી. તેણે  બચવા માટે ચીસો પાડી રહી હતી. તેની ચીચીયારીઓથી આખો ફ્લેટ ગુંજી ઉઠ્યો હતો,  પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તે ખૂબ દાઝી ગઈ હતી. ઘટનાને પગલે ફ્લેટમાં રહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. ફ્લેટના ઉપરના માળ અને નીચેના માળના લોકોને પણ નીચે ઉતારી દેવાયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જો તમે ફ્લેટમાં રહેતા હોવ અને ગેસ ગીઝરનો ઉપયોગ કરતા હોવ તો આ ઘટના તમારા માટે ચેતવણીરૂપ છે, કારણ કે ગેસ ગીઝર ફાટવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગેસ ગીઝરમાં જો સાવચેતી રાખવામાં ન આવે તો પરિવાર મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે. જો ગેસ લીકેજ થતો હોય, ગીઝરમાં કોઈ ટેક્નિકલ ખામી હોય કે પછી લાંબા સમયથી સર્વિસ ન કરાવી હોય તો ગેસ ગીઝર ફાટી શકે છે..જેથી સમયાંતરે સર્વિસ કરાવવી જરૂરી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">