અમદાવાદના શાહીબાગના ગિરધરનગર વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં, ફસાયેલા તમામનું રેસ્કયૂ, ફાયરની 11 ટીમ ઘટના સ્થળે
શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી. હાલમાં આ આગ કાબૂમાં આવી ગઈ છે. આગમાં ફસાયેલા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું.
શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી. હાલમાં આ આગ કાબૂમાં આવી ગઈ છે. આગમાં ફસાયેલા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું.આ ઘટનામાં શરૂઆતમાં 2 ભાઈ ફસાયા હતા , આગ ઓલવવા માટે ફાયરની કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.અને આગ લાગવાનું કારણ અકબંધ છે. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગમાંથી એખ મહિલાને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આગની ઘટનામાં કુલ પાંચ લોકો ફસાયા હતા. તે પૈકી એક બાળકીને પણ રેસક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. ઉપરાંત ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
4 વ્યક્તિઓ જાતે જ આવી ગઈ બહાર
એવી વિગતો સામે આવી છે કે આગ લાગતા જ 4 વ્યક્તિઓ જાતે જ બહાર આવી ગઈ હતી. હાલમાં આગમાં કઈ ફસાયેલું નથી. શિયાળામાં ગિઝર ચાલતા હોય છે ત્યારે પ્રાથમિક તબક્કે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ગિઝર ફાટવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..