AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500 વર્ષ પહેલા મૃત્યુ પામેલા સૂફી સંતનું નામ બદલીને હિંદુ નામ રાખવામાં આવ્યું, નારાજ મુસ્લિમ સમાજ આ બાબતને લઈ ભૂખ હડતાળ પર બેઠા

અમદાવાદમાં પીર ઈમામશાહ બાવાના મૃત્યુની પાંચ સદીઓ પછી - જેમનું અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું મંદિર હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે - તેમના હિન્દુ અનુયાયીઓએ સૂફી સંતનું નામ બદલીને સદગુરુ હંસતેજજી મહારાજ રાખ્યું હતું. જેને લઈ વિવાદ સર્જાયો છે.

500 વર્ષ પહેલા મૃત્યુ પામેલા સૂફી સંતનું નામ બદલીને હિંદુ નામ રાખવામાં આવ્યું, નારાજ મુસ્લિમ સમાજ આ બાબતને લઈ ભૂખ હડતાળ પર બેઠા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 5:48 PM
Share

અમદાવાદમાં પીર ઈમામશાહ બાબાની દરગાહ, જે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ છે, તે હવે ધાર્મિક વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. મામલો ગુજરાતના અમદાવાદનો છે, જ્યાં મુસ્લિમ સમુદાયના ઘણા સભ્યો એક સૂફી સંતના નામ બદલવાના વિરોધમાં અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા છે. અગાઉ પણ દરગાહ પરિસરમાં મંદિર બનાવવાને લઈને વિરોધ થઈ ચૂક્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પીર ઈમામશાહ બાબાનું મૃત્યુ લગભગ 500 વર્ષ પહેલા થઈ ગયું છે. અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામમાં તેમની એક દરગાહ હતી, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો આવતા હતા. તેને ધાર્મિક સંવાદિતાનું ઉદાહરણ પણ કહેવામાં આવતું હતું. હવે બાબાના હિંદુ અનુયાયીઓએ સૂફી સંતનું નામ બદલીને સદગુરુ હંસતેજજી મહારાજ રાખવાનો નિર્ણય કર્યો છે.

ઈમામશાહ બાબા રોજા સંસ્થાનના ટ્રસ્ટીઓ વતી ભૂખ હડતાળ અંગે જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી છે. તેમજ આ મામલે સત્તાધીશોના હસ્તક્ષેપની માંગણી કરી હતી. આ સિવાય મુસ્લિમ સમુદાયે દરગાહ પરિસરમાં ભૂખ હડતાળ પર બેઠેલા લગભગ 25 લોકોની સુરક્ષાની પણ માગ કરી છે.

આ પણ વાંચો : Junagadh: પોલીસ કર્મીના રહસ્યમય મોતનો મામલો, HC એ પોરબંદર SP ને સુપરવિઝન કરવા આપ્યા નિર્દેશ, જુઓ Video

પીરના વંશજોએ આ નામકરણનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે આ દરગાહને ભગવા કરવાનો બીજો પ્રયાસ છે. પીરના વંશજો સ્થાનિક સૈયદ સમુદાય સાથે સંકળાયેલા છે. આ સાથે ટ્રસ્ટીઓએ હઝરત પીર ઈમામશાહ બાબાની દરગાહને હિન્દુ ધાર્મિક સ્થળમાં રૂપાંતર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. આ સંદર્ભે ગુજરાતના રાજ્યપાલ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને એક આવેદન આપવામાં આવ્યું છે.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">