અમદાવાદથી માત્ર 2 જ કલાકમાં પહોંચી જવાશે મુંબઇ, જાણો ક્યારે શરુ થશે Bullet Train
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ માહિતી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ગુજરાતના ભાવનગરમાં આપી હતી. તેમણે કહ્યું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર હવે માત્ર બે કલાક અને સાત મિનિટમાં કાપી શકાશે. રેલવે મંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેનની કુલ લંબાઈ 508 કિમી હશે.

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ માહિતી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ગુજરાતના ભાવનગરમાં આપી હતી. તેમણે કહ્યું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર હવે માત્ર બે કલાક અને સાત મિનિટમાં કાપી શકાશે. રેલવે મંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેનની કુલ લંબાઈ 508 કિમી હશે. આ ટ્રેન મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) થી શરૂ થશે અને ગુજરાતમાં વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદ જશે. તેની ગતિ પ્રતિ કલાક 320 કિમી હશે.
અનેક નવી ટ્રેન સેવાઓનો શુભારંભ
રેલવે મંત્રીએ ભાવનગર ટર્મિનસથી અયોધ્યા એક્સપ્રેસ, રેવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ પણ હાજર હતા.
ગુજરાતને મળશે અનેક નવી ટ્રેન
રેલ્વે મંત્રીએ કહ્યું કે ગુજરાતમાં ઘણી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. આમાં પોરબંદર-રાજકોટ વચ્ચે નવી ટ્રેન, રાણાવાવ સ્ટેશન પર ₹135 કરોડની કોચ જાળવણી સુવિધા, પોરબંદર શહેરમાં એક રેલ્વે ફ્લાયઓવર, બે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તેમજ ભાવનગરના નવા બંદર પર કન્ટેનર ટર્મિનલનો સમાવેશ થાય છે.
#WATCH | Gujarat | Railway Minister Ashwini Vaishnaw says, “A lot of new developmental works are being undertaken in Bhavnagar… Many new trains will also start from Bhavnagar… It is also emerging as a great hub of container manufacturing… PM Modi increased the budget for… https://t.co/dnr22rXckv pic.twitter.com/JzpoVQXyKS
— ANI (@ANI) August 3, 2025
રેલવે નેટવર્કનો મોટો વિસ્તરણ
રેલ્વે મંત્રીએ દાવો કર્યો કે છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે 34,000 કિલોમીટર નવી રેલ્વે લાઇન નાખી છે. હવે ભારતમાં દરરોજ લગભગ 12 કિલોમીટર નવો ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશભરમાં 1,300 રેલ્વે સ્ટેશનોને નવી રીતે વિકસાવવામાં આવી રહ્યા છે. વિકસિત દેશોમાં, જ્યારે સ્ટેશનો બનાવવામાં આવે છે, ત્યારે ટ્રેનો બંધ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં, ભીડને ધ્યાનમાં રાખીને ટ્રેનો રોક્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે.
નવી ટ્રેનો – વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત
રેલ્વે મંત્રીએ કહ્યું કે મોદી સરકારે ઘણી આધુનિક ટ્રેનો શરૂ કરી છે. તેમાં વંદે ભારત એક્સપ્રેસ, અમૃત ભારત એક્સપ્રેસ અને નમો ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અમૃત ભારત ટ્રેનોમાં વંદે ભારત જેવી સુવિધાઓ છે પરંતુ ભાડું ઓછું છે. અત્યાર સુધીમાં આઠ અમૃત ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને નિમુબેન બાંભણિયા પણ હાજર હતા.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
