Ahmedabad: AMTSના ડ્રાફ્ટ બજેટમાં વચનોની લ્હાણી, કોરોનાથી વાલી ગુમાવનાર બાળકોને એક વર્ષ માટે મ્યુનિ.બસનો ફ્રી પાસ આપવાના વચનો

કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનાર બાળકોને ફ્રી પાસ આપવાના વચનો અપાયા છે. બીજી તરફ હવે 65 વર્ષથી ઉપરની વયના તમામ સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સુવિધા મળશે.

Ahmedabad: AMTSના ડ્રાફ્ટ બજેટમાં વચનોની લ્હાણી, કોરોનાથી વાલી ગુમાવનાર બાળકોને એક વર્ષ માટે મ્યુનિ.બસનો ફ્રી પાસ આપવાના વચનો
AMTS Bus (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 5:44 PM

ગુજરાત (Gujarat)માં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વર્ષ 2022-23 માટે રજુ કરવામાં આવેલા AMTSના ડ્રાફટ બજેટમાં મહત્વની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોરોનાકાળમાં (Corona) સ્કૂલમાં અભ્યાસ કરતા જે બાળકના વાલીઓ માતા કે પિતા મૃત્યુ પામેલા હોય તેવા બાળકોને એક વર્ષ માટે કન્સેશનનો ફ્રી પાસ (Free pass)આપવાના વચનો આપવામાં આવ્યા છે. સાથે જ નવી 400 બસ લેવા ટેન્ડર બહાર પડાયા છે. 50 ઈલેકટ્રીક બસ ઓકટોબર 2022 સુધીમાં આવવાની સંભાવના વ્યકત કરાઈ છે.

વર્ષ 2022-23ના AMTSના ડ્રાફ્ટ બજેટમાં શાસકપક્ષ દ્વારા સાત કરોડના સુધારા સાથે રુપિયા 536.14 કરોડનું બજેટ મંજુર કરાયુ છે. ચેરમેન વલ્લભ પટેલે માહિતી આપતા કહ્યુ, AMTSને આ વર્ષમાં સ્થાપનાના 75 વર્ષ પુરા થઈ રહ્યા છે. 1947માં 38 રૃટ અને 112 બસો સાથે શહેરીજનો માટે આ બસ સેવા શરુ કરાઈ હતી. હાલમાં 938 બસ રોડ પર દોડાવવામાં આવી રહી છે.

કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનાર બાળકોને ફ્રી પાસ આપવાના વચનો અપાયા છે. બીજી તરફ હવે 65 વર્ષથી ઉપરની વયના તમામ સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સુવિધા મળશે. આ પહેલા 75 વર્ષથી ઉપરના સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સગવડ આપવામાં આવતી હતી. તેના બદલે 65 વર્ષથી ઉપરની વયના તમામ સીનીયર સિટીઝનોને ફ્રી બસ પાસની સુવિધા આપવાનો કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. ડીજીટલ ઈન્ડિયાની ઝુંબેશના ભાગરુપે AMTS બસના મુસાફરો કયુઆર કોડ જનરેટ કરીને ડીજીટલ ટીકીટીંગ સેવાનો લાભ મેળવી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જમાલપુર ઉપરાંત સહિત અમદાવાદના અન્ય વિસ્તારમાં આવેલા AMTSના બિલ્ડિંગોમાં સોલાર પેનલ લગાવવા માટે ત્રણ કરોડની ફાળવણી કરાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ 100 શેલ્ટર ડેકોરેટીવ કરવા બે કરોડ અને નવરંગપુરા,મેમનગર ટર્મિનસ વિકસાવવા એક-એક કરોડની રકમની ફાળવણી કરાઈ છે

હાલમાં AMTSની માલિકીની 40 બસ છે. 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી પોતાની માલિકીની 50 બસો લઈ આ બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૃરીયાત મુજબ બે ભાગમાં સંચાલન માટે મુકવામાં આવશે.બસ ચલાવવા માટે રાજય સરકાર પાસેથી ગ્રાન્ટ પેટે રકમ મેળવવામાં આવશે. AMTS પાસે બસ પુરતી સંખ્યામાં ના હોવાના કારણે સંખ્યાબંધ રુટ બંધ કરવા પડયા હોવાનો ચેરમેને સ્વીકાર કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે નવી 400 બસ આવ્યા બાદ આ પરિસ્થિતિમાં સુધારો થતા લોકોને બસ સરળતાથી મળશે.

આ પણ વાંચો-

Ahmedabad :અમેરિકા- કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા કુટુંબના પરિજનોની ધારાસભ્ય અરવિંદ પટેલે મુલાકાત લીધી, સાંત્વના પાઠવી

આ પણ વાંચો-

Surat : રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઇને સુરત ક્રેડાઈએ નાણામંત્રી સમક્ષ કરી આ રજુઆતો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">