AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 માટે રુ. 1210.73 કરોડનુ અંદાજપત્ર રજુ કરાયુ, વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસની જાહેરાત

ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્રમાં ઔડાની નવી ઓફિસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઔડાના ખાલી પ્લોટોમાંથી જ એક પ્લોટમાં આ નવી ઓફિસ બનાવવામાં આવશે

Jignesh Patel
| Edited By: | Updated on: Feb 22, 2022 | 10:04 AM
Share

ઔડા કમિશનર (AUDA Commissioner) લોચન શહેરા (Lochan sehra)એ ઔડાનું એટલેકે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનું (Ahmedabad Urban Development Authority) આગામી વર્ષ એટલેકે 2022-23નુ બજેટ રજુ કર્યુ છે.  ઔડા કમિશનર લોચન શહેરા તેમજ મુખ્ય કારોબારી અધ્યક્ષ ડી પી દેસાઈની હાજરીમાં રુપિયા 1210.73 કરોડનુ બજેટ રજુ કરવામા આવ્યુ છે. જેમાં વોટર કનેક્શન પોલિસી, ઔડામાં આવતા તળાવોના વિકાસ, ઔડા નિર્મિત 7 બ્રિજની કામગીરી સહિત નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્રમાં ઔડાની નવી ઓફિસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઔડાના ખાલી પ્લોટોમાંથી જ એક પ્લોટમાં આ નવી ઓફિસ બનાવવામાં આવશે

ઔડાના વર્ષ 2022-23 અંદાજપત્ર

બજેટમા ઔડા દ્વારા વર્ષ 2022-23માં મૂડી ખર્ચ માટે રુ. 1145.64 કરોડ , મહેસૂલી ખર્ચ માટે રુ. 62.35 કરોડ,લોનની ચૂકવણી માટે રુ. 2.73 કરોડ એમ કુલ રુ. 1210.73 કરોડના ખર્ચના અંદાજની જોગવાઇ કરેલી છે. વર્ષ 2022-23માં આવકનો અંદાજ રુ. 1356.29 કરોડ રાખેલો છે , જે ખર્ચનાં અંદાજ કરતા રુ.145.56 કરોડની પુરાંત છે

આ છે ઔડાનો નવો ડેવલપમેન્ટ પ્લાન

-ઔડાની હયાત ઓફીસ ખસેડી નવી ઓફીસ ઔડા વિસ્તારમાં બનાવાશે. નવી ઇમારતને ઔડા ભવન નામ આપવામા આવશે. ઔડાના ખાલી પ્લોટો પૈકી કોઇ એક પ્લોટ પર આ ભવન બનશે.

-ઘુમામાં રેલવે ઓવર બ્રિજ, ભાટ એપોલો સર્કલ ખાતે બ્રિજ બનશે.

-સાણંદ ખાતે 1260, મહેમદાવાદમાં 338, અસલાલીમાં 475 એમ કુલ 2073 નવા આવાસ બનાવામા આવશે.

-ટીપી પડેલા વિસ્તારમા રસ્તા બનાવવા 100 કરોડ રુપિયાની જોગવાઈ.

-જળ જીવન મિશન અંતર્ગત 45 ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા માટે રુ.104.92 કરોડની જોગવાઈ.

– વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની ચાલુ કામગીરી તથા નવી કામગીરી માટે રુ. 81.59 કરોડની જોગવાઇ.

– સત્તામંડળ દ્વારા લોક ઉપયોગી ઓડિટોરીયમ / કોમ્યુનીટી હોલ કઠવાડા, દહેગામ અને શેલામાં બનાવવાશે.

– ઔડાના વિવિધ વિસ્તારોમાં તળાવ તથા ગાર્ડનના વિકાસ માટે રુ.17.80 કરોડની જોગવાઈ.

-બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના મેદાનો વિકસાવવા રુ.10.69 કરોડની જોગવાઇ.

-ગ્રીન ઔડા માટે વૃક્ષારોપણ તથા નિભાવણી માટે રુ. 2 કરોડની જોગવાઈ, સાથે 1 લાખ વૃક્ષો વાવીને તેનું જતન કરવા આયોજન.

-ઔડા વિસ્તારમાં અધતન સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી કાર્યરત છે.

– ગામડાઓમાં સી.સી. રોડ,પેવર બ્લોક,સ્મશાન ગૃહ બનાવવા તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે રુ. 16.80 કરોડની જોગવાઇ.

-તળાવોને ડેવલોપ કરવાની કામગીરી માટે રુ. 5 કરોડની જોગવાઇ.

-બોપલ ખાતે નિર્માણધીન ફાયર સ્ટેશનનું કામ પૂર્ણ કરાશે.

– રીંગરોડ પર 10 બ્રીજ તથા પાણી પુરવઠા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે રુ.100.50 કરોડની જોગવાઇ.

-સત્તામંડળ ખાતે આઈ.ટી. સીસ્ટમને સુદ્રઢ બનાવવા માટેની 5 કરોડની જોગવાઈ.

આ પણ વાંચો-

જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે, જાણો આ તળાવ કેમ ખાસ છે

આ પણ વાંચો-

આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">