AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે લગાવ્યા ગંભીર આરોપો, કહ્યુ ”અહેમદ પટેલના નવ રત્ન છે ત્યા સુધી પાર્ટી ઉપર નહી આવે”

દિનેશ શર્માએ એમ પણ જણાવ્યુ કે ચૂંટણી નજીક આવી રહી છે, પણ કોંગ્રેસ પાસે એકપણ બુથની યાદી તૈયાર નથી. કોંગ્રેસ માત્રને માત્ર વાતો જ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:43 PM
Share

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં હાલમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક પછી એક કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. હાલમા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવો ઘાટ સર્જાયો છે. AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા (Dinesh Sharma)એ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ (Resignation) આપ્યા બાદ પ્રદેશની નેતાગીરી સામે સવાલો ઉઠાવ્યો છે. સાથે જ કહ્યુ કે અહેમદ પટેલના નવ રત્ન છે ત્યા સુધી પાર્ટી ઉપર નહી આવે.

રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી કે વેપારી ?આ સણસણતો સવાલ કર્યો છે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ. પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ રઘુ શર્મા સહિત પ્રદેશ નેતાગીરી સામે ગંભીર આરોપો લગાવ્યા અને પક્ષના નેતાઓએ જ પક્ષને નુકસાન પહોંચાડ્યાનો આરોપ લગાવ્યો.એટલું જ નહીં ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં હોવાનો પણ દિનેશ શર્માએ આરોપ લગાવ્યો અને કાર્યકરો સાથે અન્યાયની વાત કરી. તેમણે કહ્યુ કે ગુજરાતમાં તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળતા નથી. જો ગુજરાતને કોંગ્રેસમાં ઊભી કરવી હોય તો કોંગ્રેસના તમામ આગેવાનને તે મળે. માત્રને માત્ર તેમને લાભ કરાવે તેવા વ્યક્તિને ન મળે.

તો દિનેશ શર્માએ રઘુ શર્મા સાથે અહેમદ પટેલના નવ રત્નો સામે પણ નિશાન તાક્યું. દિનેશ શર્માનો સીધો આરોપ છે કે અહેમદ પટેલના 9 રત્નો કોંગ્રેસનો વિકાસ રૂંધીને બેઠા છે.સાથે જ કહ્યુ કે અહેમદ પટેલના નવ રત્ન છે ત્યા સુધી કોંગ્રેસ પક્ષ ઉપર નહી આવે.

દિનેશ શર્માએ એમ પણ જણાવ્યુ કે ચૂંટણી નજીક આવી રહી છે, પણ કોંગ્રેસ પાસે એકપણ બુથની યાદી તૈયાર નથી. કોંગ્રેસ માત્રને માત્ર વાતો જ કરે છે. દિનેશ શર્માએ એવા પણ આક્ષેપ કર્યા તે જો પોતાનું ઘર જ સંભાળાતુ નથી. તો ગુજરાતમાં કોંગ્રેસ લાવવાની વાતો કેવી રીતે કરે છે. તેમણે કહ્યુ કે દિશાવિહીન થયેલી કોંગ્રેસને હું છોડુ છું. હુ મારા જીવનની એકપણ ક્ષણ બગાડ્યા વગર આગળ દોડીશ.

મહત્વનું છે કે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા(Dinesh Sharma)એ પણ રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી દિનેશ શર્માએ રાજીનામુ આપ્યુ છે. દિનેશ શર્મા કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ હતા. 21મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરી તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો-

કોંગ્રેસે લગાવેલા 500 કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે વિજય રૂપાણીની સ્પષ્ટતા, ટ્વિટ કરી કહ્યુ ”મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર”

આ પણ વાંચો-

Kutch: ગાંધીધામ પોલિસે ગણતરીનાં દિવસમાં ચોરાયેલો મુદ્દામાલ રીકવર કરી વેપારીને પરત કર્યો, DGPએ બિરદાવી કામગીરી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">