AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે બાજરીનો રોટલો, અનેક રોગોનો રામબાણ ઇલાજ છે

શિયાળમાં સૌ કોઇને પ્રિય એવો બાજરીનો રોટલો ન માત્ર સ્વાદમાં સારો હોય છે પરંતુ તે અનેક રોગોનો રામબાણ ઇલાજ પણ છે. બાજરીનો રોટલો સ્વાસ્થ્યને સારુ તો રાખે જ છે અને અનેક બીમારીઓને દુર રાખવામાં પણ મદદરૂપ છે.

સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે બાજરીનો રોટલો, અનેક રોગોનો રામબાણ ઇલાજ છે
બાજરીનો રોટલો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 10:07 AM
Share

બાજરી(Millet)નો રોટલો સ્વાદ(Taste)ની સાથે સ્વાસ્થ્ય(Health)ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. એવું કહેવાય છે કે બાજરી ખાવામાં ખૂબ જ ગરમ હોય છે, જેના કારણે શિયાળા(Winter)માં તેનું સેવન હંમેશા કરવામાં આવે છે.

શિયાળમાં સૌ કોઇને પ્રિય એવો બાજરીનો રોટલો ન માત્ર સ્વાદમાં સારો હોય છે પરંતુ તે અનેક રોગોનો રામબાણ ઇલાજ પણ છે. બાજરીનો રોટલો સ્વાસ્થ્યને સારુ તો રાખે જ છે અને અનેક બીમારીઓને દુર રાખવામાં પણ મદદરૂપ છે.

પોષક તત્વોથી ભરપૂર છે બાજરી બાજરી પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. બાજરીના ફાયદા વિશે વાત કરીએ તો, બાજરી ન માત્ર પાચનતંત્રને સારું રાખે છે, પરંતુ તે ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે.

પોષક તત્ત્વોથી ભરપૂર બાજરીના રોટલાના સ્વાદ અને ફાયદાઓ વિશે જાણીએ-

1. વજન ઘટાડવામાં મદદરૂપ

તમારા આહારમાં ઘઉંના રોટલાને બદલે બાજરીના રોટલાનો સમાવેશ કરવાથી તમે વજન ઘટાડી શકો છો. બાજરીમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તેને પચવામાં સમય લાગે છે, જેના કારણે પેટ ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી.

2. સ્કિન માટે ફાયદારૂપ

બાજરીમાં એન્ટિઓક્સિડન્ટ્સ, સેલેનિયમ, વિટામિન-સી, વિટામિન-ઈ જેવા ફાયદાકારક પોષક તત્વો મળી આવે છે જે ત્વચા માટે ફાયદારૂપ છે. એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે. ફ્રી-રેડિકલ ત્વચાને નુકસાન પહોંચાડે છે. વિટામિન-સી અને વિટામિન-ઇ ત્વચા માટે ફાયદાકારક છે.

3. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને ઊર્જા માટે

બાજરી ખાવાથી એનર્જી પણ મળે છે. આ ઉર્જાનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તમને જણાવી દઈએ કે બાજરીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે સામાન્ય બ્લડ પ્રેશરને જાળવવામાં મદદ કરે છે.

4. કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવા

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે પણ બાજરી ઉપયોગી છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધુ રહે છે, તેઓએ પોતાના આહારમાં માત્ર બાજરીના રોટલાનો સમાવેશ કરવો જોઈએ.તેના સેવનથી હૃદયની તંદુરસ્તી સારી રહે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે.

5. સારી ઊંઘ માટે

જો તમે સારી ઊંઘ ઈચ્છો છો, તો તમારે બાજરીને રોજ રાત્રિ ભોજનમાં સામેલ કરવી જોઈએ. બાજરીમાં ટ્રિપ્ટોફન સારી માત્રામાં જોવા મળે છે, જે સેરોટોનિન ઉત્પન્ન કરે છે. એવું કહેવાય છે કે તેનાથી તણાવ ઓછો થાય છે. તણાવ ઓછો કરવાથી સારી ઊંઘ લેવામાં મદદ મળે છે.

6. ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત આહાર બાજરીની રોટલી છે

બાજરી ગ્લુટેન ફ્રી છે. ખરેખર, ધાન્યના લોટમાં રહેલું ગ્લુટેન દ્રવ્ય યુક્ત ખોરાક ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે, તેથી બાજરીની રોટલી ખાવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

7. કેન્સર અને ડાયાબિટીસથી બચાવે છે

એવું કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. તે બ્લડ સુગર લેવલને અચાનક વધવા દેતું નથી. આ બંને સામાન્ય બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.આટલું જ નહીં, અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે બાજરી કેન્સરને રોકવામાં પણ મદદરૂપ છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ભુવનેશ્વર કુમાર પર એટેક કરવા જતા ન્યુઝીલેન્ડના જીમી નીશમે તોડ્યુ બેટ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Ban vs Pak: શોએબ અખ્તર રહી ગયો દંગ, 200 પ્રતિ કિમીથી વધારે ઝડપનો વિશ્વવિક્રમી બોલ જોવા મળ્યો!

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">