સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે બાજરીનો રોટલો, અનેક રોગોનો રામબાણ ઇલાજ છે

શિયાળમાં સૌ કોઇને પ્રિય એવો બાજરીનો રોટલો ન માત્ર સ્વાદમાં સારો હોય છે પરંતુ તે અનેક રોગોનો રામબાણ ઇલાજ પણ છે. બાજરીનો રોટલો સ્વાસ્થ્યને સારુ તો રાખે જ છે અને અનેક બીમારીઓને દુર રાખવામાં પણ મદદરૂપ છે.

સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે બાજરીનો રોટલો, અનેક રોગોનો રામબાણ ઇલાજ છે
બાજરીનો રોટલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 10:07 AM

બાજરી(Millet)નો રોટલો સ્વાદ(Taste)ની સાથે સ્વાસ્થ્ય(Health)ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. એવું કહેવાય છે કે બાજરી ખાવામાં ખૂબ જ ગરમ હોય છે, જેના કારણે શિયાળા(Winter)માં તેનું સેવન હંમેશા કરવામાં આવે છે.

શિયાળમાં સૌ કોઇને પ્રિય એવો બાજરીનો રોટલો ન માત્ર સ્વાદમાં સારો હોય છે પરંતુ તે અનેક રોગોનો રામબાણ ઇલાજ પણ છે. બાજરીનો રોટલો સ્વાસ્થ્યને સારુ તો રાખે જ છે અને અનેક બીમારીઓને દુર રાખવામાં પણ મદદરૂપ છે.

પોષક તત્વોથી ભરપૂર છે બાજરી બાજરી પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. બાજરીના ફાયદા વિશે વાત કરીએ તો, બાજરી ન માત્ર પાચનતંત્રને સારું રાખે છે, પરંતુ તે ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે.

પોષક તત્ત્વોથી ભરપૂર બાજરીના રોટલાના સ્વાદ અને ફાયદાઓ વિશે જાણીએ-

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1. વજન ઘટાડવામાં મદદરૂપ

તમારા આહારમાં ઘઉંના રોટલાને બદલે બાજરીના રોટલાનો સમાવેશ કરવાથી તમે વજન ઘટાડી શકો છો. બાજરીમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તેને પચવામાં સમય લાગે છે, જેના કારણે પેટ ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી.

2. સ્કિન માટે ફાયદારૂપ

બાજરીમાં એન્ટિઓક્સિડન્ટ્સ, સેલેનિયમ, વિટામિન-સી, વિટામિન-ઈ જેવા ફાયદાકારક પોષક તત્વો મળી આવે છે જે ત્વચા માટે ફાયદારૂપ છે. એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચાને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે. ફ્રી-રેડિકલ ત્વચાને નુકસાન પહોંચાડે છે. વિટામિન-સી અને વિટામિન-ઇ ત્વચા માટે ફાયદાકારક છે.

3. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને ઊર્જા માટે

બાજરી ખાવાથી એનર્જી પણ મળે છે. આ ઉર્જાનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તમને જણાવી દઈએ કે બાજરીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે સામાન્ય બ્લડ પ્રેશરને જાળવવામાં મદદ કરે છે.

4. કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવા

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે પણ બાજરી ઉપયોગી છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધુ રહે છે, તેઓએ પોતાના આહારમાં માત્ર બાજરીના રોટલાનો સમાવેશ કરવો જોઈએ.તેના સેવનથી હૃદયની તંદુરસ્તી સારી રહે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે.

5. સારી ઊંઘ માટે

જો તમે સારી ઊંઘ ઈચ્છો છો, તો તમારે બાજરીને રોજ રાત્રિ ભોજનમાં સામેલ કરવી જોઈએ. બાજરીમાં ટ્રિપ્ટોફન સારી માત્રામાં જોવા મળે છે, જે સેરોટોનિન ઉત્પન્ન કરે છે. એવું કહેવાય છે કે તેનાથી તણાવ ઓછો થાય છે. તણાવ ઓછો કરવાથી સારી ઊંઘ લેવામાં મદદ મળે છે.

6. ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત આહાર બાજરીની રોટલી છે

બાજરી ગ્લુટેન ફ્રી છે. ખરેખર, ધાન્યના લોટમાં રહેલું ગ્લુટેન દ્રવ્ય યુક્ત ખોરાક ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે, તેથી બાજરીની રોટલી ખાવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

7. કેન્સર અને ડાયાબિટીસથી બચાવે છે

એવું કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. તે બ્લડ સુગર લેવલને અચાનક વધવા દેતું નથી. આ બંને સામાન્ય બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.આટલું જ નહીં, અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે બાજરી કેન્સરને રોકવામાં પણ મદદરૂપ છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ભુવનેશ્વર કુમાર પર એટેક કરવા જતા ન્યુઝીલેન્ડના જીમી નીશમે તોડ્યુ બેટ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Ban vs Pak: શોએબ અખ્તર રહી ગયો દંગ, 200 પ્રતિ કિમીથી વધારે ઝડપનો વિશ્વવિક્રમી બોલ જોવા મળ્યો!

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">