Mirzapur Season 3 : પહેલી સિઝન હિટ થતાં બીજા ભાગનું બજેટ વધ્યું, જાણો સિઝન 3 ક્યારે રિલીઝ થશે?

Mirzapur Season 3 Release Date: લોકપ્રિય સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આજે અમે તમને બજેટથી લઈને આ સિઝનની રિલીઝ ડેટ સુધીની તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Mirzapur Season 3 : પહેલી સિઝન હિટ થતાં બીજા ભાગનું બજેટ વધ્યું, જાણો સિઝન 3 ક્યારે રિલીઝ થશે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 6:06 PM

OTTની દુનિયામાં એવી ઘણી સિરીઝો છે, જેણે લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. લોકોમાં તેનો ઘણો ક્રેઝ છે. એમેઝોન પ્રાઇમ વીડિયોના મિર્ઝાપુરનું નામ આવી જ એક સિરીઝમાં આવે છે. અત્યાર સુધી તેની બે સિઝન આવી ચૂકી છે. પ્રથમ સિઝન 2018માં અને બીજી 2020માં આવી હતી.મિર્ઝાપુરની પહેલી અને બીજી બંને સિઝન ખૂબ પસંદ કરવામાં આવી હતી.

આ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ તમામે પોતાના શાનદાર અભિનયને કારણે લોકોના દિલમાં છવાઈ ગયા હતા. હવે લોકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો જો તમે પણ મિર્ઝાપુર સિઝન 3 માટે ઉત્સાહિત છો, તો ચાલો તમને બજેટથી લઈને આ સિઝનની રિલીઝ ડેટ સુધીની માહિતી આપીએ.

મિર્ઝાપુર સિઝન 3નું બજેટ

રિપોર્ટ્સ અનુસાર, જ્યારે મિર્ઝાપુરની પહેલી સિઝન વર્ષ 2018માં રિલીઝ થઈ હતી, ત્યારે તેને બનાવવામાં લગભગ 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તો વર્ષ 2020માં રિલીઝ થયેલી બીજી સિઝનની તુલનામાં બજેટમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે સીઝન 2નું બજેટ 60 કરોડની આસપાસ હતું. બીજી તરફ મિર્ઝાપુર સિઝન 3ના બજેટની વાત કરીએ તો રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બીજી સિઝનની સરખામણીએ ત્રીજી સિઝનનું બજેટ 30 ટકા વધ્યું છે. તે પ્રમાણે ત્રીજી સિઝનનું બજેટ 78 કરોડ રૂપિયાની આસપાસ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ત્રીજી સિઝન ક્યારે રિલીઝ થશે?

બીજી સિઝનનો અંત એવી ક્ષણ પર થયો છે, જેણે ઘણા સસ્પેન્સને ક્રિએટ કર્યા છે. ત્રીજી સીઝનમાં, તે સસ્પેન્સ પરથી પડદો ઉઠશે, જેના કારણે ચાહકો મિર્ઝાપુર સીઝન 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આપણે તેની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો, સત્તાવાર રીતે હજી સુધી કોઈ તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં માનવામાં આવે છે કે ચાહકોને વર્ષ 2023 માં જ ત્રીજી સીઝનની ભેટ મળી શકે છે. તમને જણાવી દઈએ કે, મિર્ઝાપુર સીઝન 3 નું શૂટિંગ ડિસેમ્બર 2022માં જ પૂર્ણ થઈ ગયું છે, જેની માહિતી ગુડ્ડુ ભૈયા ફેમ અલી ફઝલે ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી હતી.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">