AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વેબ સિરીઝ ‘લોરેન્સ ઓફ પંજાબ’ હવે રિલીઝ થશે નહીં, કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો

ડોક્યુસીરિઝ લોરેન્સ ઓફ પંજાબની રિલીઝ પર પ્રતિબંધ લાગ્યો છે. એવો આરોપ છે કે તે ગુનાને મહિમા આપે છે. પંજાબ પોલીસે જણાવ્યું છે કે ,તેઓ રાજ્યની શાંતિને ખલેલ પહોંચાડી શકે તેવી કોઈપણ સામગ્રીને રિલીઝ થવાની મંજૂરી આપશે નહીં.

Breaking News : વેબ સિરીઝ 'લોરેન્સ ઓફ પંજાબ' હવે રિલીઝ થશે નહીં, કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો
| Updated on: Apr 27, 2026 | 12:27 PM
Share

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એક વખત ચર્ચામાં આ છે પરંતુ આ વખતે તેમણે કોઈને ધમકી આપી નથી પરંતુ તેની જિંદગી પર એક ડોક્યુ સીરિઝ બની છે. જેનું નામ લોરેન્સ ઓફ પંજાબ છે. આ સીરિઝ આજે 27 એપ્રિલનારોજ રિલીઝ થવાની હતી પરંતુ આ પહેલા આ ડોક્યુ સીરિઝ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

લોરેન્સની સીરિઝ પર ધમાલ

પંજાબ પોલીસના ડીજીપી ગૌરવે સોશિયલ મીડિયા પર આ સંદર્ભમાં એક વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે, પંજાબ પોલીસના સાયબર ક્રાઈમ ડિવીઝને લોરેન્સની ડોક્યુ સીરિઝ વિરુદ્ધ માહિતી અને પ્રસારણ મંત્રાલય (MoIB) ને એક પત્ર લખીને IT એક્ટની કલમ 69 હેઠળ ‘લોરેન્સ ઓફ પંજાબ’ ના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.તેમણે આઈટી એક્ટ સેક્શન 69 હેઠળ લોરેન્સ ઓફ પંજાબની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. મંત્રાલયે આ અપીલ પર કડક એક્શન લેતા ઓટીટી પ્લેટફોર્મ ઝી5ને એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર લોરેન્સની ડોક્યુ સીરિઝને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ન કરવાનો કડક આદેશ આપ્યો છે.

વીડિયોમાં, પંજાબ પોલીસ ડીજીપીએ કહ્યું, “અમને માહિતી મળી છે કે આ સીરિઝ લોરેન્સના કુખ્યાત કાર્યોને મહિમા આપે છે. પંજાબ પોલીસ રાજ્યમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિને ખલેલ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી બાજુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોરેન્સની ડોક્યુ સીરિઝને રોકવાની માંગ કરી હતી.

બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકીઓ

ગેંગસ્ટર લોરેન્સનો પ્રભાવ વર્ષોથી વધ્યો છે. તે અને તેનો સાથી ગોલ્ડી બ્રાર બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકીઓ આપી રહ્યા છે. લોરેન્સ ઘણા વર્ષોથી સલમાન ખાનનો પીછો કરી રહ્યો છે. તે અભિનેતાના 1998ના કાળિયાર શિકાર કેસ અંગે ગુસ્સે છે, કારણ કે તેનો બિશ્નોઈ સમુદાય કાળિયારની પૂજા કરે છે. આ કેસમાં સલમાનનું નામ સામે આવ્યા પછી, લોરેન્સ દબંગ ખાનને નિશાન બનાવી રહ્યો છે. તે સલમાન ખાન અને તેના નજીકના સાથીઓને વધુને વધુ નિશાન બનાવી રહ્યો છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ડોક્યુમેન્ટ્રી રિલીઝ પર પ્રતિબંધ, જુઓ બિશ્નોઈનો પરિવાર  વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">