તુનિષાનું થયું મર્ડર? સેટ પર ડરેલા છે લોકો, સિને વર્કર્સના અધ્યક્ષે આપી આ જાણકારી

Tunisha Sharma suicide Case: તુનિષા શર્માના (Tunisha Sharma) મૃત્યુ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે સેટ પરના લોકો ડરી ગયા છે અને ઘણી એક્ટ્રેસ તેનું મર્ડર થયું છે તેવું કહી રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષાના આ પગલાને કારણે સેટ પરના લોકો કંઈપણ કહેતા ડરે છે.

તુનિષાનું થયું મર્ડર? સેટ પર ડરેલા છે લોકો, સિને વર્કર્સના અધ્યક્ષે આપી આ જાણકારી
Tunisha Sharma suicide CaseImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 11:02 PM

Tunisha Sharma suicide Case: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના સુસાઈડ કેસ હાલમાં ખૂબ ચર્ચામાં છે. એક્ટ્રેસે 24 ડિસેમ્બરે સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે તુનીષાએ આટલું મોટું પગલું કેમ ભર્યું? પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષાના આ પગલાને કારણે સેટ પરના લોકો કંઈપણ કહેતા ડરે છે.

એએનઆઈ મુજબ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના અધ્યક્ષ સુરેશ ગુપ્તાએ એએનઆઈને આ વિશે જણાવ્યું છે. સુરેશ ગુપ્તાએ કહ્યું, “આજે હું સેટ પર ગયો હતો. ત્યાં લોકો કંઈપણ કહેતા ડરે છે. ઘણી એક્ટ્રેસે મને કહ્યું કે આ મર્ડર છે અને તેઓ પણ પોતે ડરી ગઈ છે. અમે ડિમાન્ડ કરીએ છીએ કે એસઆઈટી આ કેસની તપાસ કરે.

ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

બ્રેકઅપ પછી કરી આત્મહત્યા

પોલીસ તુનીષાના સુસાઈડ કેસની તપાસમાં લાગેલી છે. તુનીષાની માતાની ફરિયાદના આધારે પોલીસે પહેલા તુનીષાની સિરિયલ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલના કો-સ્ટાર શીઝાન ખાનની અટકાયત કરી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે શીઝાનના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ શીઝાન ખાનની પૂછપરછ કરી રહી છે.

મુંબઈ પોલીસના એસપી ચંદ્રકાંત જાધવે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ કેસને લઈને જાણકારી આપી હતી. તેમને જણાવ્યું કે શીઝાન અને તુનીષા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું, જેના કારણે તુનિષા હેરાન રહેતી હતી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી. હવે એ જોવાનું રહેશે કે પોલીસની વધુ તપાસમાં શું સામે આવે છે?

બોલિવૂડની આ ફિલ્મોમાં મળી હતી જોવા

તુનિષા એક એવી એક્ટ્રેસ હતી, જેણે પોતાની એક્ટિંગના દમ પર નાની ઉંમરમાં જ મોટી ઓળખ બનાવી હતી. તુનિષાના મૃત્યુ પહેલા તે સબ ટીવી શો અલી બાબા: દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમની ભૂમિકામાં જોવા મળતી હતી. તે ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી, જેમાં બાર બાર દેખો, ફિતૂર અને દબંગ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Latest News Updates

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">