AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રામાયણ’ ના શૂટિંગ દરમિયાન રામાનંદ સાગર થયા હતા પરેશાન, કાગડા સામે હાથ જોડીને કહ્યું- “હું મુશ્કેલીમાં છું, શૂટિંગ પૂર્ણ કરવા દો” , જુઓ Video

Ramayan: "રામાયણ" ના શૂટિંગ દરમિયાન રામાનંદ સાગર ખૂબ જ હેરાન થઈ ગયા હતા. તેમને કાગડાઓ સાથે એક દ્રશ્ય શૂટ કરવું પડ્યું. જોકે તે સમયે કોઈ VFX નહોતું. પછી રામાનંદ સાગરે કાગડા આગળ હાથ જોડી દીધા અને પછી...

'રામાયણ' ના શૂટિંગ દરમિયાન રામાનંદ સાગર થયા હતા પરેશાન, કાગડા સામે હાથ જોડીને કહ્યું- હું મુશ્કેલીમાં છું, શૂટિંગ પૂર્ણ કરવા દો , જુઓ Video
Ramayan Shooting Story
| Updated on: Mar 23, 2026 | 3:07 PM
Share

“રામાયણ” ના શૂટિંગનો એક રસપ્રદ કિસ્સો: “રામાયણ” ના શૂટિંગ દરમિયાન રામાનંદ સાગર ખૂબ જ પરેશાન હતા. તેમને એક દ્રશ્ય શૂટ કરવાનું હતું, પરંતુ તે કેવી રીતે કરવું તે તે સમજી શક્યા નહીં. આ દ્રશ્યમાં ભગવાન શ્રી રામ, વિષ્ણુના અવતાર, બાળપણમાં દશરથના મહેલમાં બેઠા હતા, રડતા હતા અને રોટલી ખાતા હતા અને તેમની માતાને બોલાવતા હતા.

દશરથના મહેલ પાસે ઉભેલી કાગભુશુન્ડી જી (કાગડાના રૂપમાં) એ બાળકને જોયું અને વિચાર્યું કે આ નાનો છોકરો ભગવાન કેવી રીતે હોઈ શકે. સત્ય જાણવા માટે તે બાળક પાસે ગયો અને તેની કસોટી કરવા માટે તેની પાસેથી રોટલી છીનવી લીધી.

આખા યુનિટને કામે લગાડ્યું હતું

પ્રેમ સાગરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, “રામાયણ” નું શૂટિંગ વૃંદાવનના એક સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. સૂર્યાસ્ત થતાંની સાથે જ ત્યાં અસંખ્ય કાગડાઓ આવી જતા, છતાં રામાનંદ સાગરને સમજાતું ન હતું કે તેમને કેવી રીતે અભિનય કરાવવો. અંતે તેમણે આખા યુનિટને કામે લગાડી દીધું, બધાને કાગડા પકડવાની સૂચના આપી.

કોઈક રીતે મધ્યરાત્રિ સુધીમાં ચાર કાગડાઓ પકડાઈ ગયા. જોકે, સવારે શૂટિંગ શરૂ થાય તે પહેલાં ત્રણ કાગડાઓ ભાગી ગયા.

દિલથી કહ્યું, “કાગભુશુન્ડીજીને બોલાવો.”

ફક્ત એક જ કાગડો બચ્યો હતો. રામાનંદ ચિંતિત થઈ ગયા. તેમને ખબર નહોતી પડતી કે કેવી રીતે શૂટિંગ કરવું. આ એપિસોડને બીજા અઠવાડિયે દૂરદર્શન પર ટેલિકાસ્ટ માટે મોકલવાનો હતો. તે એક દિવસ પણ મોડું કરી શકે તેમ નહોતા.

પછી અચાનક ખબર નહી તેને કંઈક સૂઝ્યું. તે ઊભા થયા અને લાઇટથી લઈને કેમેરા સુધી બધું જ સેટ કરી દીધું. તેણે બાળકને બેસાડ્યું અને દિલથી કહ્યું, “કાગભુશુન્ડીજીને બોલાવો.”

આને કહેવાય ચમત્કાર

યુનિટમાંથી કોઈ કાગડો લઈ આવ્યો. કાગડો એટલો બધો અવાજ કરી રહ્યો હતો કે આખો સ્ટુડિયો ગુંજતો હતો. પણ, જ્યારે રામાનંદજી એ કાગડા પાસે ગયા અને તેને આધ્યાત્મિક રીતે આવકાર્યો, ત્યારે તે શાંત થઈ ગયો. રામાનંદજી એ કહ્યું, “હે કાગભુસુંડી જી, હું મુશ્કેલીમાં છું. કૃપા કરીને મને મદદ કરો. આ એપિસોડ આવતા અઠવાડિયે પ્રસારિત થવાનો છે. કરોડો લોકો તેને જોશે.” આટલું કહીને રામાનંદજીએ કેમેરા પાછળ જઈને ઊભા રહ્યા. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે કાગડો તે બધી વસ્તુઓ કરવા લાગ્યો અને રામાનંદજી તેની સાથે કરાવવા માંગતા હતા.

આ રીતે રામાયણનો આ એપિસોડ શુટ થયો હતો. રામ ભગવાનનો બાળપણનો આ એપિસોડ આજે સૌ કોઈને યાદ હશે. આ એપિસોડ વગર VFX એ આટલો સરસ રીતે તેમને શુટ કર્યો હતો અને બીજે દિવસે તેને પ્રસારિત પણ કર્યો હતો.

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે. 90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી. ટીવી સિરિયલો વિશે વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">