AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khatron Ke Khiladi 11: આ 3 સ્પર્ધકોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી લાગ્યો બધાને શોક, સરકી ગઈ પગ નીચેથી જમીન

વિશાલ શોમાંથી બહાર થયા બાદ લોકોને ખરાબ લાગ્યું હતું, પરંતુ સૌરભ રાજ જૈનના એવિક્ટ થયા બાદ પણ ચાહકોની નારાજગીનો સામનો શોના મેકર્સને કરવો પડ્યો હતો.

Khatron Ke Khiladi 11: આ 3 સ્પર્ધકોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી લાગ્યો બધાને શોક, સરકી ગઈ પગ નીચેથી જમીન
Rohit Shetty
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 11:40 PM
Share

ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી (Rohit Shetty) દ્વારા હોસ્ટ કરાયેલ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 11’ (Khatron Ke Khiladi 11) તેના રસપ્રદ સ્ટન્ટ્સ અને સેલિબ્રિટીઝની મસ્તીને કારણે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. આ દરમિયાન શોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શોમાં ત્રણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવા જઈ રહી છે. આ જાહેરાત રોહિત શેટ્ટીએ શોના પ્રોમો દરમિયાન કરી હતી, જે સાંભળીને શોના અન્ય સ્પર્ધકોને શોક લાગ્યો છે. આ ત્રણ સ્પર્ધકો વિશાલ આદિત્ય સિંહ, સૌરભ રાજ જૈન અને આસ્થા ગિલ છે.

કલર્સ ટીવીએ તેના સોશિયલ મીડિયા પર જે પ્રોમો શેર કર્યો છે, તેમાં તમે શોના ત્રણ જૂના સ્પર્ધકોને જોઈ શકો છો, જેમને એલિમિનેટ કરવામાં આવ્યા હતા. વિશાલ, સૌરભ અને આસ્થા એક ધમાકેદાર એન્ટ્રી કરે છે. પ્રોમોમાં તમે અવાજ સાંભળશો કે આ ત્રણેય ખેલાડીઓને કોઈ બીજાને કારણોસર શોમાંથી બહાર થવું પડ્યું હતું. આ દરમિયાન રોહિત શેટ્ટી કહે છે કે મને લાગે છે કે આ ત્રણ સ્પર્ધકોને વધુ એક તક મળવી જોઈએ. રોહિત શેટ્ટીની આ વાત સાંભળીને જ્યારે કેટલાક લોકોના ચહેરા પર ખુશી જોવા મળી તો બીજી તરફ કેટલાકના ચહેરા પર નિરાશા જોવા મળી હતી.

અહીં જુઓ ખતરો કે ખિલાડી 11 નો નવીનતમ પ્રોમો

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

તે જ સમયે, આ પ્રોમો પહેલા વિશાલ આદિત્ય સિંહે પુષ્ટિ કરી હતી કે તે ફરી એકવાર શોનો ભાગ બનવા જઈ રહ્યો છે. વિશાલ આદિત્ય ગયા અઠવાડિયે જ શોમાંથી બહાર થઈ ગયો હતો. વિશાલના એક ચાહકે અભિનેતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું – વિશાલ અને નિક્કીને બહાર કાઢવામાં આવ્યા. વિશાલ માટે બહુ ખરાબ લાગે છે. બધા ભાવુક થઈ ગયા હતા. આ ખતરો કે ખિલાડીની સૌથી વધુ ભાવુક કરવાવાળુ એવિક્શન હતું, પરંતુ પિક્ચર હજુ બાકી છે મારા દોસ્ત, કારણ કે આપણો હીરો વિશાલ વાઈલ્ડ કાર્ડમાં આવી રહ્યો છે.

વિશાલ શોમાંથી બહાર થયા બાદ લોકોને ખરાબ લાગ્યું હતું, પરંતુ સૌરભ રાજ જૈન એવિક્ટ થયા બાદ પણ ચાહકોની નારાજગીનો શોના મેકર્સને સામનો કરવો પડ્યો હતો. માત્ર સૌરભના ચાહકો જ નહીં પણ તેની પત્નીએ પણ તેના એવિક્શનને ખોટું ગણાવ્યું હતું. ચાહકોએ શોના મેકર્સ અને રોહિત શેટ્ટી પર ભેદભાવનો આરોપ પણ લગાવ્યો હતો. સૌરભ અને વિશાલ સિવાય ત્રીજા સ્પર્ધક આસ્થા ગિલ દરમિયાન કંઈક આવું થયું. આ ત્રણ સ્પર્ધકોના પરત ફર્યા બાદ એવું લાગે છે કે શોના મેકર્સને તેમની ભૂલનો અહેસાસ થયો છે.

આ પણ વાંચો :- Nushrratt Bharucchaએ બતાવ્યો પોતાનો ફિલ્ટર લુક, Photos જોયા બાદ ચાહકો થયા તેમના દિવાના

આ પણ વાંચો :- The Kapil Sharma Show : વાણી કપૂરની ભારતી સિંહે ઉડાવી મજાક, સ્કિની ફિગર વિશે કહી આ વાત

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">