શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો ‘The Kapil Sharma Show’? અભિનેત્રીએ આપ્યો જવાબ

થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે અર્ચનાએ કપિલ શર્મા શો છોડી દીધો છે. આ વાત પર હવે અર્ચનાએ જવાબ આપ્યો છે. અને શો વિશે વાત કરી છે. જાણો તેના વિશે.

શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો 'The Kapil Sharma Show'? અભિનેત્રીએ આપ્યો જવાબ
અર્ચના પુરન સિંહ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 5:02 PM

સોની ટીવીના સૌથી વધુ ફેમસ શો ‘ધ કપિલ શર્મા શો’ જલ્દી જ પરત ફરવાનો છે. લાંબા સમયથી દર્શકો શોની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે શો ફરી શરુ થવાના અહેવાલથી દર્શકોમાં ખુશીનો માહોલ છે. આવામાં સમાચાર આવ્યા હતા કે શોની ખાસ ગેસ્ટ અર્ચના પુરન સિંહે કપિલ શર્મા શોને હંમેશા માટે બાય બાય કહી દીધું છે.

સમાચાર આવ્યા હતા કે અર્ચના કોઈ અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાના કારણે તેમણે શો છોડી દીધો છે. આ અહેવાલો પર અર્ચનાએ હવે મૌન તોડ્યું છે અને જવાબ આપ્યો છે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર અર્ચનાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘મને આ બધા અહેવાલો વિશે કોઈ જાણકારી નથી. પરંતુ હું બિલકુલ કપિલ શર્મા શોની આગામી સિઝનનો ભાગ છું. ગયા વર્ષે જ્યારે હું શૂટિંગ કરી રહી હતી ત્યારે પણ આવી અફવાઓ શરુ થઇ હતી. અને આ વખતે જ્યારે મેં વેબ સિરીઝ શરુ કરી ત્યારે પણ લોકોએ માની લીધું કે હું શો છોડી દઈશ. પરંતુ આ અફવાઓમાં કોઈ સત્યતા નથી.’

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

અર્ચનાએ કપિલ શર્મા શો વિશે વાત કરતા કહ્યું કે, ‘મને હ્યુમર ખુબ પસંદ છે. અને જ્યારે એક્ટર્સ સ્ટેજ પર પરફોર્મ કરે છે તો મને તેમને જોવા અને માણવા ખુબ ગમે છે. હું પસંદ કરું છું આ શોને. કપિલે મને આ શો માટે પસંદ કરી છે. હું જલ્દી જ નવા સિઝન સાથે આવવાની રાહ જોઈ રહી છું.’

તમને જણાવી દઈએ કે વર્ષ 2019 થી કપિલ શર્મા શોનો ભાગ છે. આ પહેલા નવજોત સિંહ સિદ્ધુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવતા હતા. પરંતુ તે બાદ તેમણે શો છોડી દીધો અને ત્યાર બાદ અર્ચનાએ આ શો જોઈન કર્યો હતો.

21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે શો

વાત કરીએ શોની તો આ શોની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે. જો કે શો ફરી શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શો ક્યારથી શરુ થશે તેને લઈને ઘણી અલગ અલગ તારીખો આવી રહી છે. પ્રોડક્શન હાઉસ તરફથી હજુ સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ અહેવાલો અનુસાર શક્યતા છે કે શો જુલાઈના છેલ્લા અઠવાડિયા કે 21 જુલાઈના રોજ શરુ થઇ શકે છે.

આ પણ વાંચો: ‘Taarak Mehta…’ ની ‘રોશન ભાભી’ એ તેમના ગળામાં આ શું પહેરી રાખ્યું છે ? જોઈને બધા ચોંકી ગયા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">