AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIDના ‘ફ્રેડરિક્સ’ના નિધન બાદ ડો. તારિકા અને ACP પ્રદ્યુમને શેર કરી લાગણીશીલ પોસ્ટ

સીરિયલ 'CID'થી દરેક ઘરમાં ઓળખ બનાવેલા અભિનેતા દિનેશ ફડનીસે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. તેણે સિરિયલમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવી હતી. તેમના મૃત્યુ પછી સિરિયલના કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શોક વ્યક્ત કર્યો.

CIDના 'ફ્રેડરિક્સ'ના નિધન બાદ ડો. તારિકા અને ACP પ્રદ્યુમને શેર કરી લાગણીશીલ પોસ્ટ
Tarika and ACP Pradyuman
| Updated on: Dec 06, 2023 | 10:05 AM
Share

સીરીયલ ‘CID’એ ઘણા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું. આ સિરિઝની દરેક ભૂમિકાએ દર્શકોના મન પર એક ખાસ છાપ છોડી છે. ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનારા અભિનેતા દિનેશ ફડનીસનું 5 ડિસેમ્બરે નિધન થયું હતું. લીવરની સમસ્યાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. દિનેશના નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે.

સીરિયલ સીઆઈડીના કલાકારોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. શિવાજી સાટમ, તાન્યા અબરોલ, શ્રદ્ધા મુસળે, અજય નાગરથ અને વિવેક મશરૂએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી છે.

(Credit Source : Shivaji satam)

દિનેશ ફડનીસે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. લિવર ફેલ થવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સીઆઈડી સિરિયલના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ દિનેશના મૃત્યુ વિશે સૌપ્રથમ માહિતી આપી હતી. ‘CID’માં મહત્વની ભૂમિકા ભજવનારા અભિનેતા અજય નાગરથે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી.

(Credit Source : Shraddha Musle)

હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી કે તમે અમને છોડીને જતા રહ્યા. તમારા આત્માને શાંતિ મળે. ફ્રેડી સર તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. ઓમ શાંતિ’, આ શબ્દોમાં તેણે પોતાની લાગણી વ્યક્ત કરી.

શ્રદ્ધા મુસળે તેમજ વિવેક મશરૂએ આપી શ્રદ્ધાંજલિ

સિરિયલમાં ‘ડો. તારિકાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રદ્ધા મુસળેએ લખ્યું, ‘ફ્રેડી સર અમે તમને ખૂબ યાદ કરીશું.’ એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનારા અભિનેતા શિવાજી સાટમે પણ દિનેશના ફોટાનો કોલાજ પોસ્ટ કર્યો છે. “દિનેશ ફડનીસ, સરળ, વિનમ્ર, પ્રેમાળ”, તેણે આ ફોટાના કેપ્શનમાં લખ્યું. તાન્યા અબરોલ અને વિવેક મશરૂએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શોક વ્યક્ત કર્યો હતો.

View this post on Instagram

A post shared by Ajay Nagrath (@ajay.nagrath)

(Credit Source : Ajay Nagrath)

દિનેશ ફડનીસને 1 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી એક્ટર દયાનંદ શેટ્ટી સોશિયલ મીડિયા પર સતત પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી રહ્યા હતા. 5 ડિસેમ્બરે બપોરે 12.08 વાગ્યે દિનેશનું નિધન થયું હતું. તેમણે મુંબઈની તુંગા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">