AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંસા પ્રભાવિત નૂહ જીલ્લામાં વિશ્વવિદ્યાલય બનાવવા આગળ આવ્યો સોનુ સૂદ, કરી આ મોટી વાત

સોનુ સૂદે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે નૂહમાં હિંસાની ઘણી ઘટનાઓ બની છે. મને લાગે છે કે શિક્ષણ એ એક મોટું પરિબળ છે. ત્યાં યુનિવર્સિટી આવે, કૉલેજ આવે તો ત્યાંના બાળકો માટે ઘણું સારું રહેશે. નૂહમાં લગભગ 30 ગામો એવા છે, જ્યાં ઘણા બાળકો તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી.

હિંસા પ્રભાવિત નૂહ જીલ્લામાં વિશ્વવિદ્યાલય બનાવવા આગળ આવ્યો સોનુ સૂદ, કરી આ મોટી વાત
Sonu Sood
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 7:15 PM
Share

31 ઓગસ્ટના રોજ, હરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ, જેના કારણે હિંસા ફાટી નિકળી હતી. બે સમુદાયો સામસામે આવી ગઈ હતી. ત્યારે હિંસા ભડકાવવામાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પછી તેને રોકવા માટે ત્યાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઈન્ટરનેટ બંધ થવાથી સૌથી વધુ અસર તે છોકરીઓને થઈ જેઓ પીએમને ત્યાં યુનિવર્સિટી બનાવવા માટે પત્ર લખી રહી હતી.

સોનું સૂદે કરી નૂહમાં વિદ્યાલય બનાવાની જાહેરાત

સ્થાનિક લોકોના મતે એપ્રિલ 2005માં મેવાતને જિલ્લો બનાવવામાં આવ્યો હતો, પરંતુ અહીં વિકાસ થઈ શક્યો નહોતો. 2018 માં, નીતિ આયોગે મેવાત નૂહને દેશના સૌથી પછાત જિલ્લો તરીકે જાહેર કર્યો.

અહીં કોઈ કોલેજ કે યુનિવર્સિટી નથી. નૂહ અને હરિયાણાની છોકરીઓ નૂહમાં યુનિવર્સિટીની સ્થાપના માટે પોસ્ટકાર્ડ અભિયાન હેઠળ વડાપ્રધાનને 10,000 પોસ્ટકાર્ડ મોકલી રહી છે. અત્યાર સુધી બે હજાર પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે, ઈન્ટરનેટ સેવા બંધ થવાને કારણે આ અભિયાન અટકી ગયું હતું, પરંતુ હવે ફરીથી પીએમ મોદીને પોસ્ટકાર્ડ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે યુનિવર્સિટી ન મળવાને કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂર દૂર જવું પડે છે, જેના કારણે છોકરાઓ બહાર જાય છે પરંતુ ઘણી છોકરીઓ તેમનું શિક્ષણ પુરુ કરી શકતી નથી. આ અભિયાન શરૂ કરનાર સામાજિક કાર્યકર સુનીલ જગલાન છે, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો હતો.

સોનું સૂદ ફાઉન્ડેશન વિદ્યાલય બનાવવા માટે કરશે મદદ

સોનુ સૂદે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે નૂહમાં હિંસાની ઘણી ઘટનાઓ બની છે. મને લાગે છે કે શિક્ષણ એ એક મોટું પરિબળ છે. ત્યાં યુનિવર્સિટી આવે, કૉલેજ આવે તો ત્યાંના બાળકો માટે ઘણું સારું રહેશે.

નૂહમાં લગભગ 30 ગામો એવા છે, જ્યાં ઘણા બાળકો તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી. ત્યાંના છોકરાઓ બીજી જગ્યાએ ભણવા જાય છે, પણ છોકરીઓનું ભણતર ત્યાં જ બાકી રહે છે. જો ત્યાં યુનિવર્સિટી ખોલવામાં આવે તો જે બાળકો અભ્યાસ ચૂકી જાય છે તેઓ આગળ અભ્યાસ કરી શકશે, તેમનું ભવિષ્ય સારું બનશે.

હાથ જોડીને, યુનિવર્સિટીના તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે નુહમાં યુનિવર્સિટી ખોલવામાં આવે જેથી કરીને બાળકોને લાભ મળી શકે. તેણે એમ પણ કહ્યું કે આ માટે તે અને તેની સંસ્થા સોનુ સૂદ ફાઉન્ડેશન આ વિષય પર સપોર્ટ કરશે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">