AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં ફરાહ ખાને નહીં, તેના બદલે Govindaએ શાહરૂખ ખાનને કર્યા હતા કોરિયોગ્રાફ, જાણો તેની પાછળનું કારણ

ઝી ટીવી કોમેડી ફેક્ટરીમાં આજે ગોવિંદા (Govinda) અને શક્તિ કપૂર (Shakti Kapoor) ની હાજરીમાં ઘણી રસપ્રદ વાતો કહેવા જઈ રહી છે. ફરાહ ખાન અને ગોવિંદા બંને ઘણા વર્ષોથી એકબીજાના સારા મિત્રો છે.

ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં ફરાહ ખાને નહીં, તેના બદલે Govindaએ શાહરૂખ ખાનને કર્યા હતા કોરિયોગ્રાફ, જાણો તેની પાછળનું કારણ
Farah Khan, Govinda and Shah Rukh Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:57 PM
Share

ઝી ટીવી કોમેડી ફેક્ટરીમાં (Zee Tv Comedy Factory) મનોરંજનની મજા ઉમેરતા ગોવિંદા અને ફરાહ ખાન 90ના દાયકાના ચાર્ટબસ્ટર ગીત ‘કિસી ડિસ્કો મેં જાએ’ પર પરફોર્મ કરતા જોવા મળશે. ફરાહ અને ગોવિંદાને એક સાથે પરફોર્મ કરતા જોઈને સેટ પર હાજર દરેક વ્યક્તિ જુમી ઉઠશે. તેમનો ડાન્સ ચોક્કસપણે દરેકનું મનોરંજન કરશે, પરંતુ આ પછી ફરાહ ખાન (Farah Khan) એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દેશે.

ઝી કોમેડી શોના લાફિંગ બુદ્ધા ફરાહ ખાને જણાવ્યું કે તેમણે આજ સુધી ક્યારેય ગોવિંદા (Govinda)ને કોરિયોગ્રાફ નથી કર્યા, જ્યારે તેમને ઘણી ઓફર પણ મળી છે. પરંતુ ગોવિંદાએ ચોક્કસપણે એક મોટા અભિનેતાને કોરિયોગ્રાફ જરુર કર્યા છે.

ફરાહ ખાને તેની પાછળનું કારણ આપ્યું અને કહ્યું કે તેમને લાગ્યું કે તે ગોવિંદાને કોરિયોગ્રાફ કરવા માટે યોગ્ય નથી. હકીકતમાં તેમણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ (Om Shanti Om)ના ‘દીવાનગી દીવાનગી’ ગીત પર શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગોવિંદાના અભિનય વિશે એક ઉડું રહસ્ય પણ ખોલ્યું છે.

ફરાહ ખાને કહ્યું, “આજે મને મારા જીવનમાં સંપૂર્ણ અનુભૂતિ થઈ રહી છે. 30 વર્ષ પછી મેં ગોવિંદા સાથે ડાન્સ કર્યો છે અને હું તમને એક રહસ્ય જણાવવા માંગુ છું. ગોવિંદા મારા બાળપણનો મિત્ર છે, પરંતુ મેં આજ સુધી ક્યારેય તેમને કોરિયોગ્રાફ કર્યા નથી જ્યારે મને ઘણી ઓફર્સ પણ મળી હતી ”

https://twitter.com/ZeeTV/status/1426472412132958211?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426472412132958211%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Ftelevision%2Fin-om-shanti-om-not-farah-khan-but-govinda-choreograph-shahrukh-khan-the-later-reveal-reason-behind-it-in-zee-comedy-factory-780633.html

ગોવિંદાએ શાહરૂખ ખાનને કર્યો હતો કોરિયોગ્રાફ

ફરાહે કહ્યું કે એવું નહોતું કે હું તેમની સાથે કામ કરવા માંગતી ન હતી, પરંતુ મારા માટે ચીચી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અત્યાર સુધીના સૌથી બહેતરીન ડાન્સાર છે, તેથી મને નથી લાગ્યું કે હું તેમને કોરિયોગ્રાફી માટે લાયક અથવા સક્ષમ છું. ગણેશ આચાર્ય (Ganesh Acharya) સાથેની તેમની જોડી એટલી સારી હતી કે મેં વિચાર્યું કે જો હું તેમને કોરિયોગ્રાફ કરીશ તો તે સાબિત થઈ જશે કે હું તેમને કોરિયોગ્રાફ કરવા માટે આટલી સારી નથી.

હકીકતમાં જ્યારે તે ‘ઓમ શાંતિ ઓમ’માં ‘દીવાનગી દીવાનગી’ માટે શૂટિંગ કરવા આવ્યા હતા, ત્યારે મારી પાસે તેમને કોરિયોગ્રાફ કરવાની હિંમત નહોતી. તેથી મેં ગોવિંદાને કહ્યું કે તે તેમના ભાગ માટે શાહરૂખને કોરિયોગ્રાફ કરે અને અમે તે જ સ્ટેપ્સ સાથે ચાલુ રાખીશું. ”

ગોવિંદાના ઈશારા પર ડાન્સ કરે છે ફરાહ

આ રહસ્યનું વર્ણન કરતા ફરાહે કહ્યું કે તેમણે છેલ્લે ‘બડે મિયાં છોટે મિયાં’ કર્યું હતું અને તે ખૂબ જ સારુ સાબિત થયું હતું. ત્યારથી મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ અમે ડાન્સ કરીશું ત્યારે ગોવિંદાએ મને કોરિયોગ્રાફ કરવી પડશે અને આજે અમે તે જ કર્યું.” આજે, જ્યા ગોવિંદા અને ફરાહના હસી મજાક અને ખુલાસાઓ પ્રેક્ષકોનું ભારે મનોરંજન કરશે, ત્યાં જ આ સપ્તાહના એપિસોડમાં ઝી કોમેડી શોના તમામ કલાકારોનાં કોમિક એક્ટ્સ પણ જોવા મળશે.

આ પણ વાંચો :- Love Story: સોનમ કપૂરની આ ફિલ્મથી શરુઆત થઈ હતી રિયા-કરણની અફેર, 2013માં લગ્ન કરવાના હતા બંને

આ પણ વાંચો :- Rhea Kapoor net worth: કમાણીમાં બહેન સોનમથી ઓછી નથી રિયા કપૂર, જાણો કુલ નેટવર્થ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">