AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

James Poster: Puneeth Rajkumarની છેલ્લી ફિલ્મ ‘જેમ્સ’નું પોસ્ટર રિલીઝ, સૈનિકના દમદાર રૂપમાં જોવા મળ્યો અભિનેતા

દિવંગત અભિનેતા પુનીત રાજકુમારનું ગયા વર્ષે નિધન થયું હતું. આજે પુનીતની છેલ્લી ફિલ્મ જેમ્સનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર પ્રજાસત્તાક દિવસના અવસર પર ખાસ રિલીઝ કરવામાં આવ્યું છે

James Poster: Puneeth Rajkumarની છેલ્લી ફિલ્મ 'જેમ્સ'નું પોસ્ટર રિલીઝ, સૈનિકના દમદાર રૂપમાં જોવા મળ્યો અભિનેતા
Puneeth Rajkumar in James (Image- Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:32 PM
Share

સુપરસ્ટાર પુનીત રાજકુમારનું (Puneeth Rajkumar) ગયા વર્ષે નિધન થયું હતું. અભિનેતાના નિધનથી માત્ર સાઉથ જ નહીં પરંતુ આખી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે. અભિનેતાના મૃત્યુ બાદ હવે તેની છેલ્લી ફિલ્મ જેમ્સ (James) આવવાની છે. 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના (Republic Day 2022) અવસર પર ફિલ્મમાં પુનીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ચાહકો જેટલા ખુશ છે તેટલા જ ભાવુક પણ છે. આજે તમામ ચાહકો તેમના અપ્પુ (Appu) એટલે કે પુનીતને યાદ કરી રહ્યા છે. ફિલ્મનું આ પોસ્ટર પુનિતના ભાઈ એક્ટર શિવ રાજકુમાર (Shiva Rajkumar) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યું છે.

પોસ્ટર શેર કરતા શિવ રાજકુમારે લખ્યું, જેમ્સ તરીકે અપ્પુ. સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.

ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન ચેતન કુમારે કર્યું છે. ચેતને અગાઉ પુનીત સાથે બ્લોકબસ્ટર કન્નડ ફિલ્મ રાજકુમાર આપી હતી. જેમ્સ ફિલ્મમાં પ્રિયા આનંદ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે પુનીતે આ ફિલ્મનું લગભગ આખું શૂટિંગ કર્યું હતું. એક જ એક્શન સિક્વન્સ રહ્યો હતો. ઉપરાંત, પુનીત ફિલ્મને ડબ કરી શક્યો ન હતો, તેમ છતાં મેકર્સ આ ફિલ્મ રિલીઝ કરવા માંગે છે.

તમને જણાવી દઈએ કે પુનીત છેલ્લે કન્નડ ફિલ્મ યુવારત્નમાં જોવા મળ્યો હતો જેણે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. પુનીત કન્નડ સિનેમાનો મોટો સ્ટાર હતો. તેણે બાળ કલાકાર તરીકે 1985માં ફિલ્મ બેટ્ટાડુ હુવીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી પુનીત વર્ષ 2002માં કન્નડ ફિલ્મ અપ્પુમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મથી તેને ચાહકો અપ્પુ કહે છે. પુનીતની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં અભિ, વીરા કન્નડીગા, રામ અને અંજની પુત્રનો સમાવેશ થાય છે.

પુનીતે તેની કારકિર્દીમાં એકથી એક હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા, પરંતુ પછી 29 ઓક્ટોબર 2021ના રોજ તેણે તેના ચાહકો અને પરિવારને છોડી દીધો. પુનીતનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પુનીતના મૃત્યુના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી ભીડ ઉમટી હતી. એટલું જ નહીં, આ સમયે પોલીસે ખાસ સુરક્ષા પણ રાખી હતી.

આ સિવાય સાઉથના તમામ મોટા સેલેબ્સ પણ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પુનીતના પાર્થિવ દેહને જોઈને સેલેબ્સ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. હવે સુપરસ્ટાર પુનીતના અવસાન બાદ,તેના ચાહકો આખરી વખત પુનીતને મોટા પડદા પર જોવાની રાહ દેખી રહ્યા છે.

આ પણ વાંચો:

Ghulam Nabi Azadને પદ્મ ભૂષણ બાદ ફરી સામે આવી Congressમાં તકરાર, જાણો આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા

આ પણ વાંચો:

Shivangi Singh: Rafale ફાઈટર પ્લેન ઉડાવનાર ભારતની એકમાત્ર મહિલા પાઈલટે Republic Day પરેડમાં ભાગ લીધો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">