AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતને અભિનંદન, બ્રિટન-નેપાળ સહિત આ દેશોએ મોકલ્યા શુભેચ્છા સંદેશ

Republic Day 2022: ભારત આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વિશ્વના વિવિધ દેશો તરફથી ભારતને શુભેચ્છા સંદેશો મળી રહ્યા છે.

Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતને અભિનંદન, બ્રિટન-નેપાળ સહિત આ દેશોએ મોકલ્યા શુભેચ્છા સંદેશ
PM Modi file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 5:54 PM
Share

Republic Day 2022: ભારત આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વિશ્વના વિવિધ દેશો તરફથી ભારતને શુભેચ્છા સંદેશો મળી રહ્યા છે. આ ક્રમમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને (UK PM Boris Johnson) ભારતના લોકોને અભિનંદન આપતા કહ્યું, ‘યુકે અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત બને, જે પેઢીઓથી ચાલી આવે છે. અમે સાથે મળીને કેટલાક સૌથી મોટા આધુનિક પડકારોનો સામનો કર્યો છે. એટલા માટે હું બ્રિટન વતી ભારતના લોકોને મારી શુભકામનાઓ મોકલી રહ્યો છું અને યુકે ભારતના પ્રજાસત્તાક દિવસની તમામ બ્રિટિશ (Britain) ભારતીયોને શુભેચ્છા પાઠવું છું. મિત્રતા પર ગર્વ છે. હું આગામી 75 વર્ષ અને તેના પછીના વર્ષો સુધી એકસાથે સમૃદ્ધ થવા માટે અમારા સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છું.’

73મા પ્રજાસત્તાક દિવસના અવસરે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીને તેમના સંદેશમાં દેઉબાએ સામાજિક-આર્થિક વિકાસમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ અને ટેકનોલોજી અને નવીનતામાં પ્રભાવશાળી પ્રગતિની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આગામી દિવસોમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે.

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અભિનંદન પાઠવ્યા

તે જ સમયે નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અભિનંદન પાઠવ્યા હતા. નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ભંડારીએ ભારતના રાષ્ટ્રપતિને સારા સ્વાસ્થ્ય અને ભારતના લોકોની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છા પાઠવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિએ ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી, જે ભારતમાં ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે.” જયશંકરને એક અલગ સંદેશ મોકલવામાં આવ્યો હતો. “તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો આવનારા દિવસોમાં વધુ મજબૂત થશે,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

(ભાષાના ઇનપુટ સાથે)

આ પણ વાંચો: DRDO Apprentice Recruitment 2022: DRDOમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી, જુઓ કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: CBSE Result: CBSE ટર્મ 1નું પરિણામ આજે જાહેર થશે! બોર્ડે ટ્વિટર પર આપી આ માહિતી

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">