AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખરેખર ! ચેક બાઉન્સ કેસમાં જાણીતા ફિલ્મમેકરને એક વર્ષની સજા, જાણો શું છે મામલો ?

રાજકુમાર સંતોષીએ ફરિયાદી અનિલ જેઠાણી પાસેથી ફિલ્મો બનાવવા માટે મોટી રકમ લીધી હતી. આ રકમ પરત કરવાના બદલામાં અનિલ જેઠાણીને કુલ ત્રણ લાખ રૂપિયાના 3 અલગ-અલગ ચેક આપવામાં આવ્યા હતા. બાદમાં ખાતામાં પૈસા ન હોવાથી આ ત્રણેય ચેક બાઉન્સ થયા હતા.

ખરેખર ! ચેક બાઉન્સ કેસમાં જાણીતા ફિલ્મમેકરને એક વર્ષની સજા, જાણો શું છે મામલો ?
Filmmaker rajkumar santoshi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 7:15 AM
Share

ચેક બાઉન્સ કેસમાં કોર્ટે બોલીવુડના(Bollywood)  ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને (Rajkumar Santoshi) એક વર્ષની સજા ફટકારી છે. તેને બે અલગ-અલગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 22.5 લાખના ચેક બાઉન્સના કેસમાં (Cheque Bounce Case)  રાજકોટની એક કોર્ટતેને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ફરિયાદીને બે મહિનામાં ચેકની રકમ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે અને જો રાજકુમાર સંતોષી આમ કરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ એક વર્ષની સજા થશે.આ સજા બાદ રાજકુમાર સંતોષીએ TOI સાથે વાત કરતા કહ્યું કે, તેમને સેલિબ્રિટી હોવાના કારણે સજા આપવામાં આવી રહી છે. રાજકુમાર સંતોષીએ અંદાજ અપના અપનાથી લઈને ઘાયલ, દામિની, ઘટક, ખાકી, લજ્જા, અજબ પ્રેમ કી ગઝબ કહાની સુધીની પચાસ સુપરહિટ ફિલ્મો બનાવી છે.

ફિલ્મો બનાવવા માટે મોટી રકમ ઉછીના લીધી હતી

મળતી માહિતી મુજબ રાજકુમાર સંતોષીએ ફરિયાદી અનિલ જેઠાણી પાસેથી ફિલ્મો બનાવવા માટે મોટી રકમ ઉછીના લીધી હતી. આ રકમ પરત કરવાના બદલામાં અનિલ જેઠાણીને કુલ ત્રણ લાખ રૂપિયાના ત્રણ અલગ-અલગ ચેક આપવામાં આવ્યા હતા. બાદમાં ખાતામાં પૈસા ન હોવાથી આ ત્રણેય ચેક બાઉન્સ થયા હતા. ફરિયાદીએ તેના વકીલ મારફત રાજકુમાર સંતોષીને કાનૂની નોટિસ આપી હતી. પરંતુ તેને રાજકુમાર સંતોષી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. જે બાદ અનિલ જેઠાણીએ સંતોષી સામે કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ 17.5 લાખ અને 5 લાખની બે અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

રકમ પરત ન કરવા બદલ જેલની સજા !

આ સાથે ફરિયાદીએ આ મામલે હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટના નિર્ણયો રજૂ કર્યા હતા. જેને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટ એનએચ વસાવેલીયાએ બોલિવૂડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ દરેક કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારી છે અને ફરિયાદીને વળતર તરીકે 60 દિવસમાં ચેકની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો હજુ પણ નિયત સમયે ફિલ્મમેકર પૈસા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધુ એક વર્ષ માટે સજા થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યાદ છે આ વાત ?? કંગના રનૌતે એક સમયે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને કર્યા હતા ખૂબ જ ટ્રોલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">