AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યાદ છે આ વાત ?? કંગના રનૌતે એક સમયે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને કર્યા હતા ખૂબ જ ટ્રોલ

કંગના રનૌતે એ બોલિવુડની એક એવી હસ્તી છે, કે જે તેની તીખી તમતમતી ટિપ્પણીઓ વડે હંમેશા પાપરાઝીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. જો કે, તેનું સોશિયલ મીડિયા તેણી ખુદ સંભાળતી નથી.

યાદ છે આ વાત ?? કંગના રનૌતે એક સમયે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને કર્યા હતા ખૂબ જ ટ્રોલ
Kangana on Ranbir & Deepika Padukone
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:58 PM
Share

‘જજમેન્ટલ હૈ ક્યા’ ફિલ્મની અભિનેત્રી ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ સાથે ટ્વિટર લડાઈમાં વ્યસ્ત રહે છે. બોલિવૂડની ક્વીન એક્ટ્રેસ ગણાતી  કંગના રનૌત (Kangana Ranaut) તેના મંતવ્યો પ્રત્યે નિખાલસ અને પ્રામાણિક હોવા માટે જાણીતી છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) સાથે પણ તેની બોલાચાલી જાણીતી છે. તેણીએ કરનને તેના શોમાં ‘નેપોટિઝમનો ધ્વજ વાહક’ કહ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે, તેણીએ પણ એક વખત રણબીર કપૂરને ‘સિરીયલ સ્કર્ટ ચેઝર’ અને દીપિકાને (Deepika Padukone) ‘સ્વઘોષિત માનસિક દર્દી’ કહીને નિશાન બનાવ્યા હતા.

‘ક્વીન’ ફિલ્મની અભિનેત્રી ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ સાથે ટ્વિટર લડાઈમાં ટ્રોલ થતી રહી છે. ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ સાથેના તેમના શબ્દોના યુદ્ધને કોણ ભૂલી શકે છે? શિવસેનાના નેતા સંજય રાઉત પર તેમનો શાબ્દિક હુમલો પણ ખૂબ જાણીતો છે.

આ વાત વર્ષ 2020ની છે, જ્યારે કંગના રનૌત ટ્વિટર પર સક્રિય હતી ત્યારે તેણે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણીએ રણબીરને ‘સિરીયલ સ્કર્ટ ચેઝર’ કહ્યો હતો અને તેની એક્સ ગર્લફ્રેંડ દીપિકા પાદુકોણને ‘સ્વ-ઘોષિત માનસિક રોગની દર્દી’ જેવા સંબોધનો આપ્યા હતા.

‘થલાઈવી’ની અભિનેત્રીએ લખ્યું હતું કે, “રણબીર કપૂર સીરીયલ સ્કર્ટ ચેઝર છે પરંતુ કોઈ તેને બળાત્કારી કહેવાની હિંમત કરતું નથી, જ્યારે દીપિકા એક સ્વ-ઘોષિત માનસિક બીમારીની દર્દી છે પરંતુ કોઈ તેને સાયકો કે ભૂત કહેતું નથી. આવા નામો ફક્ત અસાધારણ લોકો માટે આરક્ષિત છે. બહારના લોકો જે નાના શહેરો અને નમ્ર પરિવારોમાંથી આવે છે, તેમને આવી સગવડો મળતી નથી.”

કંગના રનૌતનું આ ટ્વિટ અન્ય એક ટ્વિટના જવાબમાં હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોમ્બે વેલ્વેટ, બેશરમ અને જગ્ગા જાસૂસના રૂપમાં ફ્લોપ હોવા છતાં રણબીરે રાજકુમાર હિરાનીની સંજુ જેવી મોટી ફિલ્મ મેળવી છે. તેમને મીડિયાનું પણ સમર્થન હતું.

આ પહેલીવાર નથી કે, જ્યારે કંગનાએ ‘બ્રહ્માસ્ત્ર’ના અભિનેતા પર હુમલો કર્યો હોય. તેણીએ રણબીરને સામાજિક જવાબદારીઓથી દૂર રહેવા માટે ‘યંગસ્ટર’ ટેગનો દુરુપયોગ કરવા બદલ તેને મૂંગો પણ કહ્યો હતો. એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન, તેણીએ કહ્યું હતું કે, “તેમને યુવાન કહેવાની આ શું વાત છે…રણબીર કપૂર 37 વર્ષનો છે.. તે આ પેઢીનો ‘બાળક’ છે. મારા પિતા એ સમયે આધેડ વયના માણસ હતા અને આલિયા ભટ્ટ 27 વર્ષની થઈ રહી છે…27 વર્ષની ઉંમરે હું ક્વીન માટે ડાયલોગ્સ લખી રહી હતી…મને સમજાતું નથી કે આ યુવાન શું છે…  મારી માતાને 27 વર્ષની ઉંમરે ત્રણ બાળકો હતા. આ તદ્દન અયોગ્ય છે. તમે આનાથી છૂટી ન શકો.” કંગનાએ તેની વાતને અહીયા વિરામ આપ્યો હતો.

આ પણ વાંચો – કંગના રનૌતે ‘RRR’ ફિલ્મ નિહાળ્યા બાદ એસ.એસ. રાજમૌલી અંગે આપ્યું આવું રીએકશન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">