AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાનું કારણ કૌટુંબિક ઝઘડો ? અભિનેતાના પિતાએ કર્યો મોટો ખુલાસો

તમને જણાવી દઈએ કે, ધનુષે મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. ધનુષ એશ્વર્યા કરતા બે વર્ષ નાનો છે.

શું ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાનું કારણ કૌટુંબિક ઝઘડો ? અભિનેતાના પિતાએ કર્યો મોટો ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 12:40 PM
Share

Dhanush Aishwaryaa Separation : તાજેતરમાં જ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર ધનુષ (Superstar Dhanush) અને તેની પત્ની ઐશ્વર્યાએ (Aishwaryaa) તેમના 18 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાનો નિર્ણય લીધો છે. જેની જાહેરાત બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કરી હતી. જ્યારથી ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાના અલગ થવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી બંનેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

ફિલ્મ નિર્માતા કસ્તુરી રાજાએ છૂટાછેડા પર મૌન તોડ્યુ

કેટલાક ધનુષના અફેરને તેમના અલગ થવાનું કારણ જણાવી રહ્યા છે તો કેટલાક ધનુષના ઐશ્વર્યા સાથેના ઝઘડાનું કારણ જણાવે છે. જોકે, તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ દરમિયાન, ધનુષના પિતા અને ફિલ્મ નિર્માતા કસ્તુરી રાજાએ (filmmaker kasthuri raja )અભિનેતા અને ઐશ્વર્યાના છૂટાછેડા પર મૌન તોડ્યુ છે.

રિપોર્ટ અનુસાર કસ્તુરી રાજાએ કહ્યું કે, ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવા પાછળનું કારણ માત્ર મતભેદ છે. આ એક પારિવારિક ઝઘડો છે જે સામાન્ય રીતે પરિણીત યુગલ વચ્ચે થાય છે. દેખીતી રીતે, આ છૂટાછેડા નથી. હાલમાં ધનુષ અને ઐશ્વર્યા બંને હૈદરાબાદમાં છે. મેં બંને સાથે ફોન પર વાત કરી છે અને તેમને કેટલીક સલાહ પણ આપી છે.

ધનુષ અને ઐશ્વર્યાએ 18 વર્ષના લગ્ન જીવન બાદ કર્યો આ નિર્ણય

તમને જણાવી દઈએ કે, ધનુષે મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે – યાત્રા અને લિંગ. ધનુષ એશ્વર્યા કરતા બે વર્ષ નાનો છે. ધનુષ અને ઐશ્વર્યાએ પોતપોતાના સોશિયલ મીડિયા પર અલગ થવા અંગે એક પોસ્ટ શેર કરી છે.

ધનુષે પોતાની પોસ્ટમાં લખ્યું- મિત્રો, કપલ, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો તરીકે અઢાર વર્ષની સફર. તે સમજણ, ગોઠવણ અને અનુકૂલનની યાત્રા રહી છે. આજે આપણે એવા સ્થાને ઉભા છીએ જ્યાંથી આપણા રસ્તાઓ અલગ થઈ જાય છે. ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને અમને પોતાને વધુ સારા માણસ તરીકે સમજવા માટે સમય આપ્યો છે.

આ પણ વાંચો : Malika Aroraએ શેર કર્યા પોતાના બોલ્ડ Photos, અર્જૂન કપૂરે પણ આપ્યું રિએક્શન

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">