AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગણેશ ચતુર્થીના દિવસે રામાયણનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, 4000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ રામાયણનું પહેલું ગીત જય જય રામ, રિલીઝ થયું છે, જેને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે.આ ગીત આવતા જ ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.

Breaking News :   ગણેશ ચતુર્થીના દિવસે રામાયણનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું
| Updated on: Sep 14, 2026 | 8:49 AM
Share

પૈન ઈન્ડિયા અને માઈથોલોજિકલ ફિલ્મ રામાયણને લઈ ચાહકો વચ્ચે લાંબા સમયથી ઉત્સુક્તા છે.નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના મેકર્સે હવે મ્યુઝિકલ જર્નીની શરુઆત કરી દીધી છે. ફિલ્મનું પહેલું ગીત ટુંક સમયમાં રિલીઝ થશે. હાલમાં નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ગીત ડો. કુમાર વિશ્વાસે લખ્યું છે.4000 કરોડના બજેટમાં બનેલી રામાયણ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. જેનું ટ્રેલર તો થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે.

 રામાયણનું પહેલું ગીત રિલીઝ

રણબીર કપૂર, અરુણ ગોવિલ,સાંઈ પલ્લવી,રવિ દુબે થી લઈ યશની ઝલક જોવા મળી હતી. હવે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયું છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણનું પહેલું ગીત ટુંક સમયમાં રિલીઝ થશે. જેને બોલિવુડના ફેમસ સિંગર અરજિત સિંહ અને શ્રેયા ધોષલે ગાયું છે. આ ગીત આવતા જ ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.મેકર્સના મુજબ કોઈ પણ કામની શુભ શરુઆત ફિલ્મની સંગીત યાત્રા ભગવાન ગણેશના આશીર્વાદની સાથે શરુ કરી છે.

મોશન પોસ્ટરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ જ સુખદ છે, અને લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે. હવે, ચાહકો ફિલ્મના પહેલા ગીતની રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે.

View this post on Instagram

રામાયણની કાસ્ટ જુઓ

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી રામાયણને 2 ભાગમાં રિલીઝ કરવાનો પ્લાન છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા નિભાવતો જોવા મળશે. તો સાંઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં, સાઉથ સુપરસ્ટાર યશ ફિલ્મમાં રાવણનું પાત્ર નિભાવશે. આ સિવાય રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. સની દેઓલ ભગવાન હનુમાનના પાત્રમાં જોવા મળશે. સ્ટારકાસ્ટને જોતા ફિલ્મ પહેલા થી જ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. તમને જણાવી દઈએ કે,રામાયણ ફિલ્મનું બજેટ પણ ખુબ વધારે છે.

રામાયણ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

નિમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બની રહેલી રામાયણને 2 ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો પાર્ટ દુનિયા ભરમાં 6 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે. જે દિવાળીની આસપાસ થશે. ભારતમાં 8 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મનો બીજો પાર્ટ દિવાળી 2027ના દિવસે રિલીઝ કરવાનો પ્લાન છે. હવે ચાહકો જલ્દી ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

જોડિયા બાળકોના પિતા, રામાયણના દિગ્દર્શક નિતેશ તિવારીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
g clip-path="url(#clip0_868_265)">