શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાને નિર્દેશકને સલાહ આપી કે કાશ્મીર ફાઇલ્સની કમાણી કાશ્મીરી પંડિતોના ભલા માટે દાન કરવી જોઈએ.

શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ
The Kashmir FilesImage Credit source: instagram photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 5:23 PM

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 167 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાને નિર્દેશકને સલાહ આપી કે કાશ્મીર ફાઇલ્સની કમાણી કાશ્મીરી પંડિતોના ભલા માટે દાન કરવી જોઈએ. હવે તેમની આ સલાહ પર વિવેક અગ્નિહોત્રીનો જવાબ સામે આવ્યો છે.

IAS નિયાઝ ખાનનો પ્રશ્ન શું હતો?

IAS નિયાઝ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, કાશ્મીર ફાઇલ્સની કમાણી 150 કરોડને પાર કરી ગઈ છે. લોકોએ કાશ્મીરી બ્રાહ્મણોની ભાવનાઓને ઘણું સન્માન આપ્યું છે. હું નિર્માતાઓને આદરપૂર્વક કહેવા માંગુ છું કે, તેમની સંપૂર્ણ કમાણી બ્રાહ્મણ બાળકોના શિક્ષણ અને કાશ્મીરમાં તેમના ઘર બનાવવા માટે ખર્ચવામાં આવે. તે એક મોટું દાન હશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વિવેક અગ્નિહોત્રીએ આપ્યો પ્રશ્નનો જવાબ

IAS નિયાઝના આ ટ્વિટના જવાબમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, ‘સર, નિયાઝ ખાન સાહેબ, 25 તારીખે ભોપાલ આવી રહ્યો છું. કૃપા કરીને મને એપોઇન્ટમેન્ટ આપો જેથી આપણે મળી શકીએ અને વિચારો શેર કરી શકીએ કે, કેવી રીતે આપણે મદદ કરી શકીએ. તમારા પુસ્તકની રોયલ્ટી અને IASના પાવરની મદદ કેવી રીતે મેળવી શકીએ.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સારો પ્રતિસાદ મળ્યો છે પરંતુ એક વર્ગ આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે, વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મમાં હકીકતોને એ રીતે બતાવી છે કે મુસ્લિમો પ્રત્યે નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. જો કે, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, તેણે ફિલ્મમાં માત્ર સત્ય દર્શાવ્યું છે અને તેને બિનજરૂરી રીતે વિવાદોમાં લવાઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ શોને કરશે જજ, પ્રોમોમાં પુત્રના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

આ પણ વાંચો: Bappi Lahiri: બપ્પી લાહિરીના અવસાન પછી તેમના સોનાનું શું કરવામાં આવશે ખબર છે? તેમના પૂત્રએ આપી માહિતી

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">