AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિજાબ મુદ્દે સોનમ કપૂરનું નિવેદન, કહ્યુ- જો પાઘડી પહેરવી ચોઇસ હોઇ શકે છે તો હિજાબ કેમ નહીં ?

સુપ્રિમ કોર્ટે શુક્રવારે રાજ્યની શાળાઓ અને કોલેજોમાં હિજાબ અને અન્ય ધાર્મિક પોશાક પર પ્રતિબંધ મૂકતા કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ સામેની અપીલની તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

હિજાબ મુદ્દે સોનમ કપૂરનું નિવેદન, કહ્યુ- જો પાઘડી પહેરવી ચોઇસ હોઇ શકે છે તો હિજાબ કેમ નહીં ?
Sonam Kapoor - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 10:30 PM
Share

આ દિવસોમાં ‘હિજાબ’ને (Hijab) લઈને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. ઘણી સેલિબ્રિટી પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપી રહી છે. જેમાં ગીતકાર જાવેદ અખ્તર, અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) અને કંગના રનૌતનું (Kangana Ranaut) નામ સૌથી પહેલા આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપવી જોઈએ કે કેમ તે અંગે કર્ણાટક રાજ્યમાં ચાલી રહેલી અશાંતિએ અભિનેત્રી સોનમ કપૂર આહુજાનું ધ્યાન ખેંચ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર, સોનમ કપૂરે પાઘડીમાં એક પુરુષ અને હિજાબમાં સ્ત્રીની તસવીર શેર કરી અને પૂછ્યું કે શા માટે પાઘડી એક વિકલ્પ હોઈ શકે છે જ્યારે હિજાબ ન હોઈ શકે.

સોનમ કપૂરની આ પોસ્ટ કર્ણાટકમાં હિજાબ પહેરવા બદલ વિરોધીઓ દ્વારા અનેક મહિલાઓને હેરાન કરવામાં આવી તેના 2 દિવસ બાદ આવી છે. હકીકતમાં, કર્ણાટક સરકારે 5 ફેબ્રુઆરીએ તમામ શાળાઓ અને કોલેજોમાં ડ્રેસ કોડને ફરજિયાત બનાવવાનો આદેશ જાહેર કર્યા પછી સમગ્ર વિવાદ ફાટી નીકળ્યો. સમાનતા, અખંડિતતા અને જાહેર કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા કપડાં પર પ્રતિબંધ મૂક્યો.

એક દિવસ પહેલા, ગીતકાર જાવેદ અખ્તરે પણ હિજાબ પહેરવા બદલ મહિલાઓ પર કથિત હુમલાની નિંદા કરી હતી. તેણે ટ્વિટ કર્યું કે, “હું ક્યારેય હિજાબ કે બુરખાના પક્ષમાં નથી પરંતુ મારી પાસે આ ગુંડાઓના ટોળા માટે ઊંડો તિરસ્કાર સિવાય બીજું કંઈ નથી જે છોકરીઓના નાના જૂથને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે પણ નિષ્ફળ. આ તેમનો ‘પુરુષત્વ’નો વિચાર છે.”

તેના પર પ્રતિક્રિયા આપતા કંગના રનૌતે કહ્યું હતું કે, ‘જો તમારે હિંમત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરીને બતાવો… પિંજરામાં નહીં પણ પોતાને મુક્ત કરતા શીખો’. કંગનાના ટ્વીટ બાદ શબાના આઝમીએ પણ કેટલીક વાતો કહી. તેણે કહ્યું, ‘જો હું ખોટી હોઉં તો મને સુધારો પણ અફઘાનિસ્તાન એક ધાર્મિક દેશ છે અને મેં છેલ્લે જ્યારે તપાસ કરી હતી કે ભારત એક બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક છે ?

દરમિયાન, શુક્રવારે, સુપ્રીમ કોર્ટે રાજ્યની શાળાઓ અને કોલેજોમાં હિજાબ અને અન્ય ધાર્મિક પોશાક પર પ્રતિબંધ મૂકવાના કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ સામેની અપીલની તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો –

Gehraiyaan movie review : દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની ‘ગહેરાઈયાં’ ફિલ્મની નવી પેઢીને શું શીખવાડવા માંગે છે ?

આ પણ વાંચો –

Shaktimaan Film Teaser : મોટા પડદા પર ‘શક્તિમાન’ ફરશે પરત, મુકેશ ખન્ના બોલ્યા, કહ્યું હતું ને કે હું મોટી જાહેરાત કરીશ

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
g clip-path="url(#clip0_868_265)">