AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor Alia Bhatt Wedding : મુંબઈના આ અદ્ભુત સ્થળે યોજાશે આલિયા-રણબીરના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન, તારીખ થઈ છે જાહેર

રણબીર-આલિયાના (Ranbir Alia Wedding) લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વેડિંગ વેન્યુથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધી બધું જ નક્કી થઈ ગયું છે. હવે આલિયા-રણબીરના લગ્નના રિસેપ્શનના (Alia Bhatt and Ranbir Kapoor Marriage) સમાચાર પણ સામે આવી રહ્યા છે.

Ranbir Kapoor Alia Bhatt Wedding : મુંબઈના આ અદ્ભુત સ્થળે યોજાશે આલિયા-રણબીરના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન, તારીખ થઈ છે જાહેર
Alia Bhatt (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:41 AM
Share

Alia Bhatt and Ranbir Kapoor Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નના સમાચાર કન્ફર્મ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, ચાહકો આ બંનેને પરિણીત કપલ ​​તરીકે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રણબીર-આલિયાના લગ્નની (Ranbir Alia Wedding) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વેડિંગ વેન્યુથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધી બધું જ નક્કી થઈ ગયું છે. હવે આલિયા-રણબીરના લગ્નના રિસેપ્શનના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કપલની આ રિસેપ્શન પાર્ટી માટે ખૂબ જ શાનદાર જગ્યા બનાવવામાં આવી છે. આલિયા-રણબીરની રિસેપ્શન પાર્ટી મુંબઈના તાજમહેલ પેલેસ (Alia Bhatt Ranbir Kapoor Wedding Reception)માં રાખવામાં આવી છે.

બોલિવૂડના તમામ સેલેબ્સના નામ છે સામેલ

આવી સ્થિતિમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ આ પાર્ટીમાં હાજરી આપશે. અહેવાલો અનુસાર, રણબીર આલિયાએ નક્કી કર્યું છે કે તેમના લગ્નનું રિસેપ્શન 17 એપ્રિલે યોજાશે. રાત્રે 9 વાગ્યાથી પાર્ટી શરૂ થશે. અહેવાલો અનુસાર, 17 એપ્રિલે આ ભવ્ય રિસેપ્શનમાં અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતિક રોશન (Hrithik Roshan), કેટરિના કૈફ (Katrina Kaif) અને રાની મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ હાજરી આપશે. આલિયા રણબીરના લગ્નમાં શાહરૂખ ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, ફરાહ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.

અત્યાર સુધી કપૂર પરિવારમાંથી કોઈએ ખુલીને સામે નથી આવ્યું કે, રણબીર અને આલિયાના લગ્ન થઈ રહ્યા છે. જો કે આલિયાના પરિવાર વતી બે લોકો આગળ આવ્યા છે. આલિયાના ભાઈ રાહુલ ભટ્ટ અને અભિનેત્રીના કાકા રોબિન ભટ્ટ (વિક્રમ ભટ્ટના પિતા) એ સ્પષ્ટ કહ્યું કે, રણબીર અને આલિયા લગ્ન કરવા જઈ રહ્યા છે.

રણબીર આલિયાના લગ્ન ક્યારે છે?

મીડિયા રિપોર્ટ અનુસાર, રોબિને રણબીર આલિયાના લગ્નની તારીખ જાહેર કરી છે. તેણે જણાવ્યું કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આલિયાની મહેંદી સેરેમની 13મીએ થશે. આલિયાના કાકાએ કહ્યું કે, આલિયા અને રણબીરના લગ્નની ઉજવણી ચાર દિવસ સુધી ચાલશે. 14 એપ્રિલના લગ્નની તારીખ બહાર આવી છે. 13ના રોજ મહેંદી સમારોહ રાખેલી છે. બાંદ્રા સ્થિત આરકેના ઘરે રિંગ સેરેમની કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  OMG : લગ્ન પહેલા આલિયા ભટ્ટે પોતાને ઘરમાં કરી કેદ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો:  ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના ‘Butter’ પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">