AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor Alia Bhatt Wedding : મુંબઈના આ અદ્ભુત સ્થળે યોજાશે આલિયા-રણબીરના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન, તારીખ થઈ છે જાહેર

રણબીર-આલિયાના (Ranbir Alia Wedding) લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વેડિંગ વેન્યુથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધી બધું જ નક્કી થઈ ગયું છે. હવે આલિયા-રણબીરના લગ્નના રિસેપ્શનના (Alia Bhatt and Ranbir Kapoor Marriage) સમાચાર પણ સામે આવી રહ્યા છે.

Ranbir Kapoor Alia Bhatt Wedding : મુંબઈના આ અદ્ભુત સ્થળે યોજાશે આલિયા-રણબીરના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન, તારીખ થઈ છે જાહેર
Alia Bhatt (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 8:41 AM
Share

Alia Bhatt and Ranbir Kapoor Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નના સમાચાર કન્ફર્મ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, ચાહકો આ બંનેને પરિણીત કપલ ​​તરીકે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રણબીર-આલિયાના લગ્નની (Ranbir Alia Wedding) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વેડિંગ વેન્યુથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધી બધું જ નક્કી થઈ ગયું છે. હવે આલિયા-રણબીરના લગ્નના રિસેપ્શનના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કપલની આ રિસેપ્શન પાર્ટી માટે ખૂબ જ શાનદાર જગ્યા બનાવવામાં આવી છે. આલિયા-રણબીરની રિસેપ્શન પાર્ટી મુંબઈના તાજમહેલ પેલેસ (Alia Bhatt Ranbir Kapoor Wedding Reception)માં રાખવામાં આવી છે.

બોલિવૂડના તમામ સેલેબ્સના નામ છે સામેલ

આવી સ્થિતિમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ આ પાર્ટીમાં હાજરી આપશે. અહેવાલો અનુસાર, રણબીર આલિયાએ નક્કી કર્યું છે કે તેમના લગ્નનું રિસેપ્શન 17 એપ્રિલે યોજાશે. રાત્રે 9 વાગ્યાથી પાર્ટી શરૂ થશે. અહેવાલો અનુસાર, 17 એપ્રિલે આ ભવ્ય રિસેપ્શનમાં અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતિક રોશન (Hrithik Roshan), કેટરિના કૈફ (Katrina Kaif) અને રાની મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ હાજરી આપશે. આલિયા રણબીરના લગ્નમાં શાહરૂખ ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, ફરાહ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.

અત્યાર સુધી કપૂર પરિવારમાંથી કોઈએ ખુલીને સામે નથી આવ્યું કે, રણબીર અને આલિયાના લગ્ન થઈ રહ્યા છે. જો કે આલિયાના પરિવાર વતી બે લોકો આગળ આવ્યા છે. આલિયાના ભાઈ રાહુલ ભટ્ટ અને અભિનેત્રીના કાકા રોબિન ભટ્ટ (વિક્રમ ભટ્ટના પિતા) એ સ્પષ્ટ કહ્યું કે, રણબીર અને આલિયા લગ્ન કરવા જઈ રહ્યા છે.

રણબીર આલિયાના લગ્ન ક્યારે છે?

મીડિયા રિપોર્ટ અનુસાર, રોબિને રણબીર આલિયાના લગ્નની તારીખ જાહેર કરી છે. તેણે જણાવ્યું કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આલિયાની મહેંદી સેરેમની 13મીએ થશે. આલિયાના કાકાએ કહ્યું કે, આલિયા અને રણબીરના લગ્નની ઉજવણી ચાર દિવસ સુધી ચાલશે. 14 એપ્રિલના લગ્નની તારીખ બહાર આવી છે. 13ના રોજ મહેંદી સમારોહ રાખેલી છે. બાંદ્રા સ્થિત આરકેના ઘરે રિંગ સેરેમની કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  OMG : લગ્ન પહેલા આલિયા ભટ્ટે પોતાને ઘરમાં કરી કેદ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો:  ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના ‘Butter’ પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો

Follow Us
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">