AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધન, છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા

પંજાબી મનોરંજન જગતના એક પછી એક સ્ટાર્સ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. પહેલા સિદ્ધુ મુસેવાલાનું અવસાન થયું અને હવે ગાયક બલવિંદર સફરીએ દુનિયાને અલવિદા કહી દીધું છે.

પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધન, છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા
જાણીતા પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધનImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 11:31 AM
Share

Punjabi Singer : બોલિવુડ જગતમાંથી એક પછી એક દુખદ સમાચાર આવી રહ્યા છે. જાણીતા પંજાબી સિંગર બલવિદર સફરી (Punjabi singer Balvidar Safri)નું નિધન થયું છે, સિંગર બલવિંદર સફરીએ મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધા છે. તે 63 વર્ષના હતા. જાણવામાં આવી રહ્યું છે કે, પંજાબી સિંગર બલવિંદર સફરી છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. જેને લઈ તેને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. 86 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે પહોંચ્યા બાદ તેની હેલ્થ રિકવર થઈ રહી હતી.

છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા

મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ પંજાબી સિંગર બલવિંદર સફરી સ્વાસ્થ સંબંધી પરેશાનિયોનો સામનો કરી રહ્યા હતા, પંજાબી ગાયકને ત્રિપલ બાયપાસ સર્જરી માટે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સર્જરી બાદ કેટલાક સમય સુધી કોમામાં રહ્યા હતા.હાલમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં અંદાજે 3 મહિનાના લાંબા સમય વિતાવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. તેનું સિટી સ્કેન પણ કરવામાં આવ્યું હતુ

બર્મિગહામમાં ભાંગડા ગ્રુપ બનાવ્યું

તમને જણાવી દઈએ કે, બલવિંદર સફરીનું નામ પંજાબ જ નહિ પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત હતુ. વર્ષ 1990માં, તેણે બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં એક ભાંગડા જૂથની રચના કરી, જેનું નામ સફારી બોયઝ હતું. તેમના ભાંગડા ગ્રૂપને ઘણું નામ અને ખ્યાતિ મળી.

અંતિમ વિદાય વખતે લોકો એકઠા થયા હતા

પંજાબી ગાયક બલવિંદર સફરીના નિધન બાદ તેમની અંતિમ વિદાય વખતે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં પણ તમામ કર્મચારીઓએ કોરિડોરમાં ઉભા રહીને પંજાબી ગાયકને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન, ભૂપિન્દર કુલ્લરે, તેમના ભાંગડા જૂથ સફરી બોયઝના સભ્ય, જે ટ્યૂબ્સી તરીકે જાણીતા છે, તેમની અંતિમ વિદાય સમયે ઢોલ ડ્રમ વગાડીને સ્વર્ગસ્થ ગાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જણાવી દઈએ કે, બલવિંદર સફરી ચાને મેરે મખ્ના, પાઓં ભાંગડા અને યાર લંગડે જેવા શ્રેષ્ઠ ગીતો ગાયા હતા, તે પંજાબી મનોરંજન જગતમાં જાણીતું નામ હતું.

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">