AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધન, છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા

પંજાબી મનોરંજન જગતના એક પછી એક સ્ટાર્સ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. પહેલા સિદ્ધુ મુસેવાલાનું અવસાન થયું અને હવે ગાયક બલવિંદર સફરીએ દુનિયાને અલવિદા કહી દીધું છે.

પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધન, છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા
જાણીતા પંજાબી ગાયક બલવિંદર સફરીનું નિધનImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 11:31 AM
Share

Punjabi Singer : બોલિવુડ જગતમાંથી એક પછી એક દુખદ સમાચાર આવી રહ્યા છે. જાણીતા પંજાબી સિંગર બલવિદર સફરી (Punjabi singer Balvidar Safri)નું નિધન થયું છે, સિંગર બલવિંદર સફરીએ મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધા છે. તે 63 વર્ષના હતા. જાણવામાં આવી રહ્યું છે કે, પંજાબી સિંગર બલવિંદર સફરી છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. જેને લઈ તેને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. 86 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે પહોંચ્યા બાદ તેની હેલ્થ રિકવર થઈ રહી હતી.

છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા

મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ પંજાબી સિંગર બલવિંદર સફરી સ્વાસ્થ સંબંધી પરેશાનિયોનો સામનો કરી રહ્યા હતા, પંજાબી ગાયકને ત્રિપલ બાયપાસ સર્જરી માટે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સર્જરી બાદ કેટલાક સમય સુધી કોમામાં રહ્યા હતા.હાલમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં અંદાજે 3 મહિનાના લાંબા સમય વિતાવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. તેનું સિટી સ્કેન પણ કરવામાં આવ્યું હતુ

બર્મિગહામમાં ભાંગડા ગ્રુપ બનાવ્યું

તમને જણાવી દઈએ કે, બલવિંદર સફરીનું નામ પંજાબ જ નહિ પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત હતુ. વર્ષ 1990માં, તેણે બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં એક ભાંગડા જૂથની રચના કરી, જેનું નામ સફારી બોયઝ હતું. તેમના ભાંગડા ગ્રૂપને ઘણું નામ અને ખ્યાતિ મળી.

અંતિમ વિદાય વખતે લોકો એકઠા થયા હતા

પંજાબી ગાયક બલવિંદર સફરીના નિધન બાદ તેમની અંતિમ વિદાય વખતે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં પણ તમામ કર્મચારીઓએ કોરિડોરમાં ઉભા રહીને પંજાબી ગાયકને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન, ભૂપિન્દર કુલ્લરે, તેમના ભાંગડા જૂથ સફરી બોયઝના સભ્ય, જે ટ્યૂબ્સી તરીકે જાણીતા છે, તેમની અંતિમ વિદાય સમયે ઢોલ ડ્રમ વગાડીને સ્વર્ગસ્થ ગાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જણાવી દઈએ કે, બલવિંદર સફરી ચાને મેરે મખ્ના, પાઓં ભાંગડા અને યાર લંગડે જેવા શ્રેષ્ઠ ગીતો ગાયા હતા, તે પંજાબી મનોરંજન જગતમાં જાણીતું નામ હતું.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">