AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra નથી ઈચ્છતા કે તેમના જીવન પર કોઈ ફિલ્મ બને, કારણ બતાવતા ચાહકોને સર્જાયુ આશ્ચર્ય

નિરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા બાદ તેનુ જુનુ ઇન્ટરવ્યુ વાયરલ થવા લાગ્યુ છે. સોશિયલ મીડિયા પર નિરજ ચોપરાની બાયોપિક બનવાને લઇને ખૂબ ચર્ચા થવા લાગી છે.

Neeraj Chopra નથી ઈચ્છતા કે તેમના જીવન પર કોઈ ફિલ્મ બને, કારણ બતાવતા ચાહકોને સર્જાયુ આશ્ચર્ય
Neeraj-Chopra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:50 PM
Share

ટોક્યો ઓલિમ્પિક Tokyo Olympics માં સ્ટાર નિરજ ચોપરા (Neeraj Chopra) ના ગોલ્ડ જીતવા બાદ થી, તેની પર બાયોપિક બનવા પર વાત ચાલી રહી છે. ફેન્સ ટ્વીટર પર આ બાયોપિકમાં લીડ હિરો માટે પોતાની પસંદને પણ જાહેર કરી રહ્યા છે. સૌ કોઇ ભારતના ગોલ્ડન બોય ની કહાનીને મોટા પડદા પર જોવા માટે ઇચ્છે છે. આ વચ્ચે નિરજે પોતાની બાયોપીક (Biopic) ને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેણે બતાવ્યુ છે કે, તેના જીવન પર બાયોપિક બનવાને લઇને તે શુ વિચારે છે.

અત્યાર સુધી બોલીવુડમાં ઘણા સ્ટાર ખેલાડીઓના જીવન પર બાયોપિક બનાવવામાં આવી છે. જેમાં છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમ, અનુભવી રમતવીર મિલ્ખા સિંહ, બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ચાહકોની માંગ છે કે હવે આ યાદીમાં આગળનું નામ નિરજ ચોપરાનું હોવું જોઈએ.

બાયોપિક પર નિરજ ચોપરાનું મોટું નિવેદન

ચાહકો ગમે તે કહે, પણ નિરજને નથી લાગતું કે અત્યારે તેમના જીવન પર કોઈ ફિલ્મ બનવી જોઈએ. જ્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મને બાયોપિક વિશે ખબર નથી. હું મારી રમત પર ધ્યાન આપવા માંગુ છું. જ્યારે હું રમવાનું બંધ કરીશ ત્યારે આ બધું સારું રહેશે. તે પછી તેમની પાસે એક નવી કહાની હશે. હાલમાં મને ફક્ત મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા દો. નિરજે વધુમાં કહ્યું કે તેને નથી લાગતું કે, કોઈપણ સક્રિય ખેલાડીની બાયોપિક ન બનાવવી જોઈએ. તે આ વિશે રિટાયરમેન્ટ બાદ વિચારશે.

નિરજ ચોપરાએ બતાવ્યુ હતુ, કોણ હશે બાયોપિકમાં હિરો

આ નિવેદનથી ચાહકો આશ્ચર્યચકિત છે. હકીકતમાં, નિરજ ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નિરજ ને તેની બાયોપિકના હીરો વિશે વાત કરવામાં આવી હતી. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો જવેલિન પર ફિલ્મ બને છે, તો કયો અભિનેતા પોતાનું પાત્ર સારી રીતે ભજવી શકે છે?

આ અંગે નિરજે કહ્યું હતુ કે, જો આવું થાય તો તે ખૂબ જ સારી બાબત છે. આમ તો હરિયાણાના રણદીપ હુડાને પસંદ છે. આ સિવાય અક્ષય કુમાર ખૂબ પસંદ છે. નિરજ ચોપરાની જીત બાદ તેના બંને પ્રિય કલાકારોએ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. તેને અભિનંદન આપતા અક્ષય કુમારે લખ્યું હતુ, આ ગોલ્ડ છે. નિરજ ચોપરા તમને આ જીત માટે હ્દયપૂર્વક અભિનંદન. આજે તમે કરોડો લોકોની ખુશીના આંસુ માટે જવાબદાર છો.

આ પણ વાંચોઃ IND vs ENG: જસપ્રિત બુમરાહે કર્યો ખુલાસો, WTC Final ની નિષ્ફળતા નોટિંગહામમાં કેવી રીતે સફળતામાં બદલી

આ પણ વાંચોઃ જેના છે લાખો ચાહકો તે નીરજ ચોપરા બોલીવૂડમાંથી ફોલો કરે છે માત્ર 2 અભિનેતાને, બંનેને છે સ્પોર્ટ્સમાં રસ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">