Nawazuddin Siddiqui ની માતાએ અભિનેતાની બીજી પત્ની વિરુદ્ધ FIR નોંધાવી, લગાવ્યો આ આરોપ

Nawazuddin Siddiqui : અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરુનિસા સિદ્દીકીએ નવાઝુદ્દીનની બીજી પત્ની ઝૈનબ ઉર્ફે આલિયા વિરુદ્ધ FIR દાખલ કરી છે.

Nawazuddin Siddiqui ની માતાએ અભિનેતાની બીજી પત્ની વિરુદ્ધ FIR નોંધાવી, લગાવ્યો આ આરોપ
Nawazuddin Siddiqui
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 2:04 PM

ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરુનિસા સિદ્દીકીએ નવાઝુદ્દીનની પત્ની ઝૈનબ ઉર્ફે આલિયા વિરુદ્ધ FIR નોંધાવી છે. આરોપ છે કે ઝૈનબ જે બંગલામાં ગઈ હતી ત્યાં જ તેની નવાઝુદ્દીનની માતા સાથે ઝઘડો થયો હતો. આ કેસમાં વર્સોવા પોલીસે ઝૈનબને પૂછપરછ માટે બોલાવી છે.

IPC કલમ હેઠળ ગુનો નોંધાયો

નવાઝુદ્દીન સિદ્દીકીની માતાની ફરિયાદના આધારે મુંબઈની વર્સોવા પોલીસે આલિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેની સામે આઈપીસીની કલમ 452, 323, 504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દીન, નવાઝુદ્દીનની માતા અને આલિયા વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે. નવાઝુદ્દીન અને આલિયાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. બંનેને બે બાળકો છે. એક દીકરો અને દીકરી.

જુઓ ફરિયાદની કોપી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અંજલિથી બની હતી ઝૈનબ

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકી અને ઝૈનબ ઉર્ફે આલિયાના લગ્ન ઘણા સંઘર્ષ બાદ થયા હતા. લગ્ન પહેલા ઝૈનબનું નામ અંજલી હતું. પહેલા બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લિવ-ઈનમાં રહેતા હતા. જો કે નવાઝુદ્દીન રોજના ઝઘડાઓને કારણે લગ્ન કરવાથી ડરતો હતો. બાદમાં નવાઝુદ્દીને શીબા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબું ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી તે ફરીથી અંજલિને મળ્યો અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન સમયે અંજલિએ પોતાનું નામ ઝૈનબ રાખ્યું હતું.

નવાઝુદ્દીન અને આલિયા વચ્ચે થયો હતો વિવાદ

વર્ષ 2020માં નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે ઘણો વિવાદ થયો હતો. તેની પત્નીએ તેને છૂટાછેડા માટે લીગલ નોટિસ પણ મોકલી હતી. જો કે, થોડા મહિનાઓ પછી, બંનેએ સમાધાન કર્યું. આ બાબતને લઈને નવાઝુદ્દીને બાદમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “હું મારા અંગત જીવન વિશે વાત કરવાનું ટાળું છું, મેં હજી સુધી કોઈની સાથે આ વિશે વાત કરી નથી. હું મારી જાતને નકારાત્મકતા અને નફરતથી ભરવા માંગતો નથી. તે હજુ પણ મારા બાળકોની માતા છે.” પછી તેણે કહ્યું હતું કે ગમે તે થાય, તે તેની પત્નીને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે.

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">