AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યારે 21 વર્ષ પહેલા લતા મંગેશકરને મળ્યું ભારતનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’, સોશિયલ મીડિયા પર છવાયો આ વીડિયો

વર્ષ 2001માં તેમને દેશનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન એવોર્ડ' મળ્યો હતો. આવી સ્થિતિમાં ન્યૂઝ એજન્સી ANIએ તે સમયને યાદ કરતો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે 21 વર્ષ પહેલા લતા મંગેશકરને મળ્યું ભારતનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન', સોશિયલ મીડિયા પર છવાયો આ વીડિયો
Lata Mangeshkar (Image: Snap From Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 1:33 PM
Share

સ્વર કોકિલા અને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar)નું રવિવારે (6 ફેબ્રુઆરી) સવારે લાંબી માંદગી બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 29 દિવસ સુધી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સ્થિતિ નાજુક રહી હતી. રાજનીતિ, મનોરંજન અને રમતગમતની તમામ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લતા મંગેશકર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમના અવાજ દ્વારા હંમેશા અમર રહેશે. તેમના અવાજમાં એવો જાદુ હતો કે સાંભળનાર સાંભળતો જ રહી જાય. તેઓએ છેલ્લા કેટલાય દાયકાઓ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને પોતાનો અવાજ આપ્યો છે.

લતા મંગેશકરને વર્ષ 2001માં દેશનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન એવોર્ડ’ મળ્યો. 61 વર્ષની વયે ગાયન માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર તેઓ એકમાત્ર ગાયિકા હતા. આવી સ્થિતિમાં ન્યૂઝ એજન્સી ANIએ તે સમયને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે. જે સમયે તેમને સર્વોચ્ચ એવોર્ડ ‘ભારત રત્ન’ મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તે વાઈરલ થઈ ગયો, આ સોનેરી દિવસ જોઈને યુઝર્સની આંખો પણ ભીની થઈ ગઈ. આ ક્લિપ સામે આવતાની સાથે જ લોકોની પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘આજે આપણે વાસ્તવિક ભારત રત્ન ગુમાવ્યું છે, ભગવાન લતા મંગેશકર જીની આત્માને શાંતિ આપે, શાંતિ આપે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘કાલે સૂરજ પણ નીકળશે, કાલે પક્ષીઓ પણ ગાશે, બધા તમને નજર આવશે પણ તમે નહીં જોવા મળો.. આ સિવાય કેટલાક અન્ય યુઝર્સે પણ શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: લતા મંગેશકરના નિધનને પગલે, દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર, જાણો કેવી રીતે કરવામાં આવે છે રાષ્ટ્રીય શોક ?

આ પણ વાંચો: 1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">