AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે

લતા મંગેશકરે ખાસ કોન્સર્ટ કરીને ભારતીય ટીમ માટે 20 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.

1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે
Lata Mangeshkar helped 20 lakh 1983 World Cup team (file ,photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 1:04 PM
Share

Lata Mangeshkar : લતા મંગેશકર (Lata Mangeshkar) ના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વર કોકિલા લતા મંગેશકરને તેમની ગાયકીથી ઓળખવામાં આવી હતી. પરંતુ સાથે સાથે તેઓ ક્રિકેટના પણ મોટી શોખીન હતી. તે સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને એમએસ ધોની જેવા ક્રિકેટરોની ચાહક હતી. તેમનો સૌથી જાણીતો કિસ્સો 1983માં ભારતની વર્લ્ડ કપ જીત સાથે સંબંધિત છે.

કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ટીમ જ્યારે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને સ્વદેશ પરત ફરી ત્યારે BCCI પાસે તેમને આપવા માટે પૈસા નહોતા. આવી સ્થિતિમાં લતા મંગેશકરે જ ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian Cricket Board)ને મદદ કરી હતી. આનો ઉલ્લેખ તે વર્લ્ડ કપમાં રમનારા તમામ ક્રિકેટરોએ કર્યો છે.

ત્યારબાદ લતા મંગેશકરે એક ખાસ કોન્સર્ટ કર્યો, જેમાં તેમણે ગીત ગાયું. આ કોન્સર્ટમાં લતાજીને સુરેશ વાડેકર અને અન્ય સંગીત જગત સંબંધિત લોકોનો પણ સહયોગ મળ્યો હતો. જ્યારે આ કોન્સર્ટ સમાપ્ત થયો, ત્યારે તેઓ 20 લાખ રૂપિયા લઈને આવ્યા અને પછી તમામ ખેલાડીઓને 1-1 લાખ રૂપિયા મળ્યા. કહેવાય છે કે, આ કોન્સર્ટ માટે લતા મંગેશકરે એક રૂપિયો પણ લીધો ન હતો.

કીર્તિ આઝાદે લતાજીના કોન્સર્ટની સ્ટોરી સંભળાવી

તે કોન્સર્ટને યાદ કરતાં કીર્તિ આઝાદે કહ્યું, “ત્યારે BCCI પર 2 કે 3 કરોડ રૂપિયાનું દેવું હતું. આવી સ્થિતિમાં ખેલાડીઓના ઈનામ માટે પૈસા નહોતા. બીસીસીઆઈના તત્કાલીન પ્રમુખ રાજ સિંહ ડુંગરપુરે લતા મંગેશકર સાથે વાત કરી હતી. લતાજી સંમત થયા. નક્કી થયું કે સપ્ટેમ્બરમાં લતા મંગેશકર કોન્સર્ટ કરશે. આ કોન્સર્ટમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ, નીતિન મુકેશ, કવિતા કૃષ્ણમૂર્તિ જેવા દિગ્ગજ કલાકારો પણ સામેલ થયા હતા. કોન્સર્ટ પહેલા લતાજી મોટાભાગના લોકોને તેના મનપસંદ ગીત વિશે પૂછ્યું અને કહ્યું કે તે તેને સ્ટેજ પર ગાશે.

કીર્તિ આઝાદને જ્યારે તેના ફેવરિટ ગીત વિશે પૂછવામાં આવ્યું તો તેણે લતા મંગેશકરને કહ્યું કે, તમારા બધા ગીતો સારા છે. પણ ‘ લગ જા ગલે’ ગાવાની વિનંતી કરી. આ સાંભળીને લતાજી હસી પડ્યા. કોન્સર્ટમાં પહેલું ગીત ‘ લગ જા ગલે’ ગવાયું. આ જોઈને હું ખુશ થઈ ગયો.

કીર્તિ આઝાદ કહે છે કે, લતા મંગેશકર ક્રિકેટના ખૂબ જ શોખીન હતા. છેલ્લી વાર હું સાત-આઠ વર્ષ પહેલાં મળ્યો હતો.

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">